Thursday, June 12, 2025
HomeGujaratઅમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી 'જળયાત્રા' નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક બાદ આરતી કરાઇ

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક બાદ આરતી કરાઇ

Date:

spot_img

Related stories

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...
spot_img

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. મંદિરે ભગવાન પરત ફર્યા બાદ સાધુ-સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો. સાથે દુધ, દહી, ખાંડ, મધ, પંચામૃત સહિતના દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતું અને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો.જળયાત્રાના દિવસે સાધુ સંતોનો ભંડારો પણ યોજાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવી હતી.જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઇ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું. પાણી લઈ ક્રૂઝ પરત ફર્યા બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here