Tuesday, May 6, 2025
HomeGujaratગુજરાતના નવા મુખ્યમંત્રીએ કહ્યું, 'મને વિશ્વાસ છે કે તમે લાફા નહીં મારો,...

ગુજરાતના નવા મુખ્યમંત્રીએ કહ્યું, ‘મને વિશ્વાસ છે કે તમે લાફા નહીં મારો, પણ શીખવાડશો…’

Date:

spot_img

Related stories

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...
spot_img

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવા બનાવવામાં આવેલ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી વાત કહી હતી. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું હતું કે, કોરોના કાળમાં ભારતે લોકોની સારી સેવા કરી છે. લોકોના હિત માટે મારો વિસ્તાર મારો વિસ્તાર ન કરવું. નવા આવ્યા એટલે ઉત્સાહ હોય પણ પછી લાફા પડે. મને વિશ્વાસ છે કે, તમે લાફા નહીં મારો, પણ શીખવાડશો. નવા મંત્રીમંડળમાં નવા આવ્યા હોય એટલે ઉત્સાહ હોય. ધીરે ધીમે આજુબાજુથી લાફા પડે તેમ કામ ઉતરતુ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે મને લાફો નહિ મારો, પણ શીખવાડશો કે આવુ કરવુ જોઈએ. સારુ કામ થશે તેવો મારો વિશ્વાસ છે. મારા પહેલાના મિત્રોએ ગુજરાતને એક લેવલ પર પહોંચાડ્યુ છે. હવે ગાંધીનગરને પણ આપણે જીત્યુ છે. અમારી હજી શરૂઆત છે. જ્યારે જ્યારે કોરોનામાં ભાઈ ભાઈની સાથે ઉભો ન રહે, માતાપિતા દીકરા સાથે ઉભા ન રહે, પતિ પત્ની સાથે ઉભો ન રહ્યો, પણ ભાજપનો કાર્યકર્તા લોકોના સુખ સાથે સુખી થયો છે અને લોકોના દુખ સાથે દુખી થયા છે. તેમણે કહ્યું હતું કે, આપણને ઘણીવાર એમ થાય કે વિદેશીઓ દરેક બાબતમાં અવ્વલ છે. પણ કોરોનાકાળમાં સૌથી સારી સેવા ભારત અને ગુજરાતે કરી છે. ગુજરાત એક મોડલ છે કે, પ્રાઈવેટ હોસ્પિટલના બેડ રાખીને ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું કે, આ મોડલ દરેક રાજ્યએ સ્વીકારવુ જોઈએ. ગુજરાતે કોરોનામાં જે કામગીરી કરી, તે શ્રેષ્ઠ હતી. આત્મનિર્ભર થઈને ભારતમાં કોરોનાકાળમાં કામગીરી થઈ છે. ગુજરાતમાં જ્યારે હિત જોવાનો હોય ત્યારે મારો વિસ્તાર જોવાનો ન હોય. છેવાડાના માનવીનો વિચાર કરીને સેવા આપવાની હોય. ગુજરાત ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર થવા જઈ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને વેક્સીનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના કુલ ૧૮ સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.
 

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here