Wednesday, March 11, 2026
HomeGujarat'પહેલો સગો પાડોશી' કહેવત ખોટી ઠરી; સુરતમાં 1 વર્ષમાં બાળકી-સગીરા પર દુષ્કર્મના...

‘પહેલો સગો પાડોશી’ કહેવત ખોટી ઠરી; સુરતમાં 1 વર્ષમાં બાળકી-સગીરા પર દુષ્કર્મના 41માંથી 24 કેસમાં પાડોશી-સંબંધીઓ જ

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

શહેરમાં છેલ્લા 1 વર્ષમાં જ નાની બાળકીઓથી લઈ કિશોરીઓ પર રેપના 41 ગુનાઓમાંથી 24 કેસમાં હવસખોરો પાડોશી જ છે. બાકી અમુક ગુનાઓમાં આરોપી તરીકે સગા બાપ કે સંબંધી માસા, ફુવાનો ભાઈ કારખાનેદાર, પ્રેમી તેમજ માજી કોર્પોરેટરનો ભત્રીજો છે. કેટલાક કેસમાં તો બાળકીને ગર્ભવતી પણ બનાવી દેવામાં આવી છે, જ્યારે અમુક કેસોમાં નોકરી અપાવવાના નામે કિશોરીઓનું શોષણ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે.

નાની બાળકી પર થયેલા બળાત્કારના એક કેસમાં પાડોશી યુવક એકલો રહે છે અને બાળકી એકલી હોય તેવા સમયે તેને ચોકલેટ બિસ્કિટ, પૈસા જેવી લાલચ આપી શિકાર બનાવી હતી. પાંડેસરા અને હજીરામાં બે કિસ્સાઓમાં તો નરાધમે નાની બાળકીને પીંખી નાખી કરપીણ હત્યા પણ કરી છે. આવા કેસોમાં સુરતની કોર્ટે ફાંસીની પણ સજા ફટકારી છે.

ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા
ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા છે. ખાસ કરીને માસૂમ બાળકીઓ પર થતા બળાત્કાર અને ત્યાર બાદ તેમની હત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા નરાધમોને બોધપાઠ ભણાવવા માટે સ્થાનિક કોર્ટ પણ ઝડપી ચુકાદા આપી રહી છે, જે એક સારું પાસું છે. જો કે, પોલીસના ચોંપડે નોંધાયેલા આંકડા જ દર્શાવી રહ્યા છે કે, બાળકી કે તરૂણીઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં મોટા ભાગે સગાસંબંધી કે પરિચિત વ્યક્તિ જ આરોપી હોય છે.​​​​​ખાસ કરીને શ્રમજીવીઓના વિસ્તારોમાં નાની બાળકીઓને નરાધમો સરળતાથી નિશાન બનાવી લેતા જોવા મળી રહ્યા છે, કારણ કે, અહીં માતા-પિતા મોટા ભાગે મજૂરી કામે ગયા હોવાથી તેમજ બાળકીઓ ઘરની બહાર રમતી હોવાથી તેમની દેખરેખ માટે આસપાસ ભાગ્યે જ કોઈ રહેતું હોય છે. આથી નરાધમો બાળકીઓનું અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કરતા પણ અચકાતા નથી. કેટલાક ગુનાઓમાં તો તરુણીને ગર્ભવતી પણ બનાવી દેવાઈ છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here