Monday, April 14, 2025
HomeLife StyleMagazineસંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ રહ્યો હતો. એવામાં ગોર મહારાજ બોલ્યા “કન્યા પધરાવો સાવધાન” ગોર મહારાજનો સાદ સાંભળીને ધીમે પગલે કન્યા મંડપ તરફ આગળ વધી. મંડપ પાસે પહોચ્યા ત્યાં તો હાર્ડ એટેક આવતા જ કન્યા જમીન પર ઢળી પડી ને તેનું મૃત્યુ થયું.મંડપમાં બેઠેલ વરરાજાના આંખમાં આંસુ જાણે કહી રહ્યા હોય. હું કેવો અભાગીયો કે મારી પત્ની બને તે પહેલા જ તેનું મોત. હવે તો જાન પાછી જશે. વરરાજાનો બાપ વેવાઈ પાસે જઈને કહ્યું.વેવાઈ ખુશીનો આજનો દિવસ માતમમાં છવાઇ ગયો અમે જાન લઈને પાછા જઈએ છીએ.રડતી આંખોએ દીકરીનો બાપ બોલ્યો. ઊભા રહો વેવાઈ આમ જાન પાછી જશે તો અમારી આબરૂ જશે. દીકરીનું મોત કુદરતી હતું પણ હું તમને જાન પાછી નહીં જવા દવ. આટલું કહીને દીકરીનો બાપ તેમની નાની દીકરી પાસે જઈને બોલ્યો.બેટી જાન પાછી જશે તો આપણી આબરૂ જશે. લોકો વાતું કરશે. આજે મારી આબરૂ તારા હાથમાં છે દીકરી.નાની દીકરી બાપની વાત સમજી ગઈ. બાપુજી આ માંડવે મારા લગ્ન કરાવવા માંગે છે. પણ એ વિચારી રહી હતી કે મારી મોટી બહેનની લાશ માંડવા પાસે પડી હોય તો મારાથી લગ્નના ચાર ફેરા કેમ ફરાય.!આજ સુધી પિતા સામે ક્યારેય ન બોલેલી દીકરી બોલે છે. બાપુજી કુટુંબની આબરૂ માટે હું જાન લઈને આવનાર વરરાજા સાથે લગ્ન કરવા તૈયાર છું પણ મોટી બહેનનું અત્યારે મરણ થયું છે ને આ સમયે હું લગ્નના ચાર ફેરા ફરવા માટે મારી પાસે હિંમત નથી રહી.દીકરીનો બાપ દીકરીની વાત સમજી ગયો. દૂર ઊભેલા વેવાઈ પાસે જઈને દીકરીનો બાપ બોલ્યો.ભલે આજે મારી મોટી દીકરી હયાત નથી રહી પણ મારા ઘરે આવેલી જાન ને હું પાછી જવા નહીં દવ. મારી નાની દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરાવીશ પણ દીકરીનું બારમું પતે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.દીકરાનો બાપ બોલ્યો. વેવાઈ તમારી ખોરડાની ખાનદાનીને જાજેરી ખમ્મા પણ જાન પાછી લઈને ફરી આવીશું તો નાક અમારું કપાશે. દુઃખની ઘડીમાં આ જાન તમારે ઘરે રોકાણ કરે તે પણ સારું નહીં ને.!!દૂર ઊભેલા ગામના મુખી આગળ આવીને બોલ્યા. મને ક્ષમા કરશો પણ આજે કુટુંબની આબરૂ નહીં પણ ગામની આબરૂનો સવાલ છે એટલે જાન હું પાછી નહીં જવા દવ. જાન ને બાર દિવસ રોકાવાની જવાબદારી હું લવ છું. જાન બાર દિવસ મારે ઘેર રોકાશે.બારમું પત્યા પછી ફરી એજ માંડવે કન્યા અને વરરાજા ના લગ્ન કરાવીને એક કુટુંબે પોતાની ખાનદાની બચાવી તો ખરી પણ ખાનદાની ની મિશાલ કાયમ કરી. ધન્ય છે આવા ખાનદાની પરિવાર ને.

જીત ગજ્જર સુરત
[email protected]

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here