Sunday, May 19, 2024
HomeWorldUSની ચિંતા વધી! ઉત્તર કોરિયાએ હવે પાણીની અંદરથી હુમલો કરી શકે તેવા...

USની ચિંતા વધી! ઉત્તર કોરિયાએ હવે પાણીની અંદરથી હુમલો કરી શકે તેવા પરમાણુ ડ્રોનનું કર્યું પરીક્ષણ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ઉત્તર કોરિયાએ કહ્યું કે કવાયત દરમિયાન ઉત્તર કોરિયાનું ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહ્યું

ક્રુઝ મિસાઇલોનું પરમાણુ હથિયાર તરીકે ટેસ્ટ વોરહેડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેણે 1,500 થી 1,800 કિમીની રેન્જને આવરી લીધી

આકાશમાં એક પછી એક મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાની ઊંઘ હરામ કરનારા ઉત્તર કોરિયાએ હવે અંડરવોટર એટેક કરી શકે તેવા ન્યુક્લિયર ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. આ નવું પરમાણુ પરીક્ષણ સરમુખત્યાર કિમ જોંગ ઉનના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. ત્યાંની સ્થાનિક સમાચાર એજન્સીએ મંગળવારથી ગુરુવાર દરમિયાન હાથ ધરાયેલા આ હથિયારોના પરીક્ષણ અને ફાયરિંગ ડ્રિલ દરમિયાન ક્રૂઝ મિસાઇલ ઝિંકાયાની પુષ્ટિ કરી હતી

ડ્રોન 59 કલાક પાણીની અંદર રહ્યું હતું 

ઉત્તર કોરિયાએ કહ્યું કે કવાયત દરમિયાન ઉત્તર કોરિયાનું ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહ્યું અને ગુરુવારે તેના પૂર્વ કિનારે પાણીમાં વિસ્ફોટ કર્યો હતો. જો કે, તેમણે ડ્રોનની પરમાણુ ક્ષમતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે ડ્રોન સિસ્ટમનો હેતુ દુશ્મનના જળક્ષેત્રમાં ચોરીછૂપે હુમલો કરવાનો અને નૌકાદળના સ્ટ્રાઈકર જૂથો અને મુખ્ય ઓપરેશનલ બંદરોને નષ્ટ કરવાનો છે.

ચાર ક્રુઝ મિસાઈલ પણ છોડવામાં આવી હતી

આ અંડરવોટર ન્યુક્લિયર એટેક કરી શકે તેવા ડ્રોનને કોઈપણ દરિયાકાંઠે અને બંદર પર તહેનાત કરી શકાય છે અથવા ઓપરેશન માટે કોઈપણ સપાટી પરથી જહાજ દ્વારા ખેંચી શકાય છે. એક અલગ ફાયરિંગ કવાયતમાં ઉત્તર કોરિયાએ પણ પુષ્ટિ કરી હતી કે તેણે વ્યૂહાત્મક પરમાણુ સ્ટ્રાઈક મિશન હાથ ધરવા બુધવારે ચાર ક્રુઝ મિસાઇલો છોડી હતી. 

1,500 થી 1,800 કિલોમીટરનું અંતર કાપ્યું 

ક્રુઝ મિસાઇલોનું પરમાણુ હથિયાર તરીકે ટેસ્ટ વોરહેડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેણે 1,500 થી 1,800 કિમીની રેન્જને આવરી લીધી હતી. દક્ષિણ કોરિયાની સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ બુધવારે તેના પૂર્વ કિનારે ચાર ક્રૂઝ મિસાઇલો છોડી હતી. જો કે, ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે નવીનતમ હથિયારોના પરીક્ષણથી પડોશી દેશોની સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર થઈ નથી.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here