Tuesday, June 30, 2026
HomeWorldકંગાળ પાકિસ્તાન પાસે ચૂંટણી યોજવા પણ પૈસા નથી, ખુદ સંરક્ષણ મંત્રીએ આ...

કંગાળ પાકિસ્તાન પાસે ચૂંટણી યોજવા પણ પૈસા નથી, ખુદ સંરક્ષણ મંત્રીએ આ અંગે આપ્યું મોટું નિવેદન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી

ચૂંટણી પંચે પાકિસ્તાનના પંજાબમાં યોજાનારી પ્રાંતીય ચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફનું કહેવું છે કે દેશના નાણા મંત્રાલય પાસે ચૂંટણી યોજવા માટે પૈસા જ નથી. અહેવાલ અનુસાર, ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. ખ્વાજા આસિફનું આ નિવેદન પાકિસ્તાનના ચૂંટણી પંચના એ નિર્ણય બાદ આવ્યું છે, જેમાં ચૂંટણી પંચે પાકિસ્તાનના પંજાબમાં યોજાનારી પ્રાંતીય ચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને ટાંકીને ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે. જેનો ઈમરાન ખાનની પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જાણો પાકિસ્તાની સંરક્ષણ મંત્રીના નિવેદનનો અર્થ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની તત્કાલીન સરકારોએ 14 અને 18 જાન્યુઆરીએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની વિધાનસભાઓ ભંગ કરી દીધી હતી. આ પછી 1 માર્ચે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર બંને રાજ્યોમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત પંજાબમાં એપ્રિલમાં અને ખૈબર પખ્તુનખ્વામાં મે મહિનામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ હવે ચૂંટણી પંચે ચૂંટણીને ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધી છે. તેના પર ખ્વાજા આસિફનું નિવેદન કે ચૂંટણી કરાવવા માટે પૈસા નથી, તે સ્પષ્ટ સંકેત આપે છે કે પાકિસ્તાનની PMLN સરકાર અત્યારે ચૂંટણી કરાવવા માંગતી નથી અને તેને ઈમરાન ખાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ઈમરાન ખાન પર ગંભીર આરોપો

ખ્વાજા આસિફે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીટીઆઈ ચીફ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ઇમરાને ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ લંબાવ્યો અને પછી સત્તાથી બહાર થયા બાદ તેમણે બાજવા પર જ આરોપ લગાવ્યો કે તેમને સત્તામાંથી બહાર કરનારા બાજવા છે. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે પીટીઆઈ સરકાર દ્વારા પ્રાંતીય એસેમ્બલીનું વિસર્જન ગેરબંધારણીય હતું પરંતુ બંધારણીય રીતે તેમને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા અને તેઓ વિશ્વાસ મત ગુમાવ્યા હતા અને હવે તેઓ કોર્ટમાં હાજર પણ નથી થઈ રહ્યા. ખ્વાજા આસિફે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઈમરાન ખાને સરકારમાં PMLNના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. ઉલ્લેખનીય છે કે હવે ઈમરાન ખાન આરોપ લગાવી રહ્યા છે કે પીએમએલએન સરકારમાં પીટીઆઈ કાર્યકર્તાઓને નિશાન બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here