Friday, June 5, 2026
HomeWorld૨૦૫૦ સુધીમાં ભારત, પાક. ચીનના ૧૭૦ કરોડ લોકો પાણીની અછતથી પીડાશે

૨૦૫૦ સુધીમાં ભારત, પાક. ચીનના ૧૭૦ કરોડ લોકો પાણીની અછતથી પીડાશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગંગા, બ્રહ્મપુત્ર, સિંઘુ જેવી નદીઓ સૂકાઈ જવાનો ખતરો

હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટી જતાં ભારતના ૪૦ કરોડ લોકોને અસર થશેઃ યુએનનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક અહેવાલ રજૂ કર્યો હતો. એ પ્રમાણે દુનિયાભરમાં ઝડપભેર ગ્લેશિયર પીગળી રહ્યા હોવાથી આગામી ૨૭ વર્ષમાં પાણીની મોટી સમસ્યા સર્જાશે. દુનિયાના ૨૪૦ કરોડ શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડશે. એમાં ભારત-પાકિસ્તાન-ચીનના લોકો મોટી સંખ્યામાં પાણીની અછતથી પીડાશે.
યુએનના અહેવાલ પ્રમાણે ૨૫૦૦ કિલોમીટર લાંબી ગંગાનદીનું જળસ્તર નીચું આવશે. તેનાથી ભારતના ૪૦ કરોડ લોકોની અસર થશે. ભારતની મોટી ૧૦ નદીઓ સૂકાઈ જવાનો ખતરો છે અને તેના કારણે કરોડો લોકો માટે પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે. ગંગોત્રી છેલ્લાં ૮૭ વર્ષમાં ૧.૭૫ કિ.મી. પીગળી ગઈ. પહેલાં ગંગોત્રીની લંબાઈ ૩૦ કિલોમીટર જેટલી હતી. ૧૯૩૫થી ૨૦૨૨ના સમયગાળા દરમિયાન ગંગોત્રી ગ્લેશિયરનું મુખ ૧૭૦૦ મીટર પીગળી ચૂક્યું છે.
ભારતના હિમાલયન રેન્જમાં ૯૫૭૫ ગ્લેશિયર છે. આ ગ્લેશિયર ભારતની નદીઓમાં પાણીનો પ્રવાહ ઠાલવે છે, પરંતુ આ હિમખંડ પીગળવા લાગતા પાણીનો જથ્થો દરિયામાં વહી જાય છે અને ખપમાં આવતો નથી. ધીમે ધીમે આ સ્થિતિ રહેશે તો આગામી ૨૭ વર્ષમાં એટલે કે ૨૦૫૦ સુધીમાં આ નદીઓમાં પાણીનો જથ્થો સાવ ઘટી જશે અને કરોડો લોકોને પાણીની અછતનો સામનો કરવો પડશે. યુએનના અંદાજ પ્રમાણે ભારત-પાકિસ્તાન અને ચીનના ૧૭૦ કરોડ લોકો ૨૦૫૦ સુધીમાં પાણીની અછતથી પીડાતા હશે.
એશિયાની ૧૦ મુખ્ય નદીઓ અત્યારે ૧૩૦ કરોડ લોકોની પાણીની જરૃરિયાત પૂરી કરે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે જળસ્તર ઘટી રહ્યું છે. વળી, મુખ્ય ગ્લેશિયર પીગળવાના કારણે પણ આગામી વર્ષો મુશ્કેલ બનશે. ગ્લેશિયર પીગળવાની ઝડપ વધવાની ભીતિ હોવાથી પાકિસ્તાન-ચીનમાં પૂરપ્રકોપની દહેશત વધશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here