Tuesday, June 30, 2026
HomeWorld૨૦૫૦ સુધીમાં ભારત, પાક. ચીનના ૧૭૦ કરોડ લોકો પાણીની અછતથી પીડાશે

૨૦૫૦ સુધીમાં ભારત, પાક. ચીનના ૧૭૦ કરોડ લોકો પાણીની અછતથી પીડાશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગંગા, બ્રહ્મપુત્ર, સિંઘુ જેવી નદીઓ સૂકાઈ જવાનો ખતરો

હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટી જતાં ભારતના ૪૦ કરોડ લોકોને અસર થશેઃ યુએનનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક અહેવાલ રજૂ કર્યો હતો. એ પ્રમાણે દુનિયાભરમાં ઝડપભેર ગ્લેશિયર પીગળી રહ્યા હોવાથી આગામી ૨૭ વર્ષમાં પાણીની મોટી સમસ્યા સર્જાશે. દુનિયાના ૨૪૦ કરોડ શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડશે. એમાં ભારત-પાકિસ્તાન-ચીનના લોકો મોટી સંખ્યામાં પાણીની અછતથી પીડાશે.
યુએનના અહેવાલ પ્રમાણે ૨૫૦૦ કિલોમીટર લાંબી ગંગાનદીનું જળસ્તર નીચું આવશે. તેનાથી ભારતના ૪૦ કરોડ લોકોની અસર થશે. ભારતની મોટી ૧૦ નદીઓ સૂકાઈ જવાનો ખતરો છે અને તેના કારણે કરોડો લોકો માટે પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે. ગંગોત્રી છેલ્લાં ૮૭ વર્ષમાં ૧.૭૫ કિ.મી. પીગળી ગઈ. પહેલાં ગંગોત્રીની લંબાઈ ૩૦ કિલોમીટર જેટલી હતી. ૧૯૩૫થી ૨૦૨૨ના સમયગાળા દરમિયાન ગંગોત્રી ગ્લેશિયરનું મુખ ૧૭૦૦ મીટર પીગળી ચૂક્યું છે.
ભારતના હિમાલયન રેન્જમાં ૯૫૭૫ ગ્લેશિયર છે. આ ગ્લેશિયર ભારતની નદીઓમાં પાણીનો પ્રવાહ ઠાલવે છે, પરંતુ આ હિમખંડ પીગળવા લાગતા પાણીનો જથ્થો દરિયામાં વહી જાય છે અને ખપમાં આવતો નથી. ધીમે ધીમે આ સ્થિતિ રહેશે તો આગામી ૨૭ વર્ષમાં એટલે કે ૨૦૫૦ સુધીમાં આ નદીઓમાં પાણીનો જથ્થો સાવ ઘટી જશે અને કરોડો લોકોને પાણીની અછતનો સામનો કરવો પડશે. યુએનના અંદાજ પ્રમાણે ભારત-પાકિસ્તાન અને ચીનના ૧૭૦ કરોડ લોકો ૨૦૫૦ સુધીમાં પાણીની અછતથી પીડાતા હશે.
એશિયાની ૧૦ મુખ્ય નદીઓ અત્યારે ૧૩૦ કરોડ લોકોની પાણીની જરૃરિયાત પૂરી કરે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે જળસ્તર ઘટી રહ્યું છે. વળી, મુખ્ય ગ્લેશિયર પીગળવાના કારણે પણ આગામી વર્ષો મુશ્કેલ બનશે. ગ્લેશિયર પીગળવાની ઝડપ વધવાની ભીતિ હોવાથી પાકિસ્તાન-ચીનમાં પૂરપ્રકોપની દહેશત વધશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here