
અમેરિકામાં સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (એસઇડી) એ ભારતમાં તેના નેચરલ ઇન્ટેલિજન્સ અને ન્યુરોસાયન્સ આધારિત લર્નિંગ ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે તેનો વિશ્લેષણ કરવા, તેમની શૈક્ષણિક ક્ષમતાઓ અને ખામીઓની ઓળખ કરવા તથા વ્યક્તિગત વિકાસ માટે અનુકૂળ માર્ગ તૈયાર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
એક એડવાન્સ્ડ અસેસમેન્ટ અને લર્નિંગ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ તરીકે વિકસાવાયેલ એસઇડી દરેક વિદ્યાર્થી માહિતી કેવી રીતે પ્રોસેસ કરે છે અને તેને કેવી રીતે લાગુ કરે છે તે સમજવામાં મદદ કરે છે. બ્રેન આધારિત અસેસમેન્ટ્સ દ્વારા આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની લર્નિંગ સ્ટાઇલ, તેમની શક્તિઓ અને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરે છે. તે કોગ્નિટિવ પેટર્ન્સ અને શૈક્ષણિક પ્રદર્શનને મૅપ કરીને વ્યક્તિગત એકેડેમિક રોડમૅપ તૈયાર કરે છે, જેના દ્વારા શિક્ષકો અને માતા-પિતાને શરૂઆતના તબક્કામાં જ લર્નિંગ ગેપ્સ દૂર કરવામાં અને હાલની ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે.
આ અંગે વાત કરતાં, સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સના સ્થાપક શ્રી શ્રીનેશ વી.એ જણાવ્યું હતું કે, “ઘણા વખત કક્ષામાં ઓછું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ખોટી રીતે સમજવામાં આવે છે. પરંપરાગત મૂલ્યાંકન માત્ર પરિણામોને માપે છે, પરંતુ વિદ્યાર્થી કેવી રીતે શીખે છે તે સમજાવતું નથી. એસઇડી દ્વારા અમારો ઉદ્દેશ ન્યુરોસાયન્સ આધારિત ડાયગ્નોસ્ટિક અભિગમ લાવવાનો છે, જે સ્કૂલો અને પરિવારોને વિદ્યાર્થીઓના શીખવાના પેટર્ન સમજવામાં, શરૂઆતમાં જ ગેપ્સ ઓળખવામાં અને તેમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા મદદ કરે.”
આ લોન્ચની જાહેરાત એસઇડી લર્નિંગ ઇન્ટેલિજન્સ સમિટ દરમિયાન કરવામાં આવી હતી, જેમાં શિક્ષણવિદો અને શૈક્ષણિક નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સમિટમાં જોસેફ સલાઝાર, જેક્લિન એમ. ક્લેમ્કે, ડૉ. સેદીઘે ઝમાની રૂડસારી અને એરિક સાંબાલુક જેવા નિષ્ણાતો હાજર રહ્યા હતા.
આ પ્લેટફોર્મ ન્યુરોસાયન્સ આધારિત એકેડેમિક ડાયગ્નોસ્ટિક્સ સાથે સ્ટ્રક્ચર્ડ સ્ટુડન્ટ ટ્રેકિંગ ટૂલ્સને પણ એકીકૃત કરે છે. તેમાં લર્નિંગ ગેપ્સની શરૂઆતમાં ઓળખ, એસએટી અને એસીટી આધારિત ફ્રેમવર્ક, યુએસ આધારિત સર્ટિફિકેશન પાથવે અને 360-ડિગ્રી પ્રોગ્રેસ ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સની સીઈઓ આશ્લી સાંબાલુકએ જણાવ્યું હતું કે, “ભારતમાં વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી વર્ગોમાંથી એક છે, પરંતુ અહીંની મોટાભાગની સિસ્ટમો હજુ પણ માત્ર પ્રદર્શન માપે છે. એસઇડીનું ભારતમાં આગમન આ વિચારધારાને બદલવાનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને ખામીઓને શરૂઆતમાં જ સમજવામાં અને તેમને વૈશ્વિક ધોરણો સાથે આગળ વધારવામાં મદદ કરશે.”
શ્રી ચૈતન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની ડિરેક્ટર સુશ્રી સીમા બોપ્પનાએ આ પહેલમાં રસ દર્શાવતા જણાવ્યું કે ન્યુરોસાયન્સ આધારિત અભિગમ શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકે છે.
દક્ષિણ ભારતમાં શ્રીલંકાના ઉપ ઉચ્ચાયુક્ત ડૉ. ગણેશનાથન ગીથીશ્વરણે આ પહેલની પ્રશંસા કરતા તેને શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તનકારી પગલું ગણાવ્યું.
આ અવસર પર એસઇડીએ ભારતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાની પોતાની યોજના પણ જાહેર કરી. આ સહકારમાં હરિયાણા પ્રોગ્રેસિવ સ્કૂલ્સ કોન્ફરન્સના રાજ્ય અધ્યક્ષ શ્રી સુરેશ ચંદર, અમેરિકન એડ્યુગ્લોબલ સ્કૂલના સ્થાપક શ્રી પી. કે. સાંબલ અને પંજાબના ફેડરેશન ઓફ પ્રાઈવેટ સ્કૂલ્સના અધ્યક્ષ ડૉ. જગજીત સિંહ ધુરીનો સમાવેશ થાય છે.


