Monday, August 17, 2026
HomeAhmedabadવારી એનર્જીસ રાજસ્થાન રોયલ્સની મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર બની

વારી એનર્જીસ રાજસ્થાન રોયલ્સની મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર બની

Date:

Related stories

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

ભારતની રિન્યૂએબલ એનર્જીની વૃદ્ધિને તેની પ્રીમિયર સ્પોર્ટિંગ પ્રોપર્ટી સાથે જોડતા એક પગલામાં અગ્રણી ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન કંપની વારી એનર્જીસ લિમિટેડ (BSE કોડ: 544277; NSE: WAAREEENER) આગામી સિઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર તરીકે જોડાઈ છે. આ ભાગીદારી હેઠળ, વારી એનર્જીસનો લોગો સિઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સની સત્તાવાર મેચડે જર્સી અને ટ્રેનિંગ કિટ્સના આગળના ભાગ પર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ અને વારી એનર્જીસ વચ્ચેની આ ભાગીદારી બે એવી બ્રાન્ડ્સને એકસાથે લાવે છે, જે નવીનતા અને ટકાઉપણાની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી છે અને રમત દ્વારા સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણા આપવાનું સંયુક્ત વિઝન ધરાવે છે.

1990માં સ્થાપિત, વારી એનર્જીસ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા તરફ દોરી જવામાં અગ્રેસર રહી છે. દેશની અંદર તેમજ 25થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી સાથે, કંપની વ્યવસાયો અને સમુદાયોને વિશાળ પાયે રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સ અપનાવવા સક્ષમ બનાવતી રહી છે.

વારીના સીએમડી હિતેશ દોશીએ જણાવ્યું હતું કે , “ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, તે એક શક્તિશાળી સાંસ્કૃતિક શક્તિ છે, જે લાખો લોકોને જોડે છે અને પ્રભાવિત કરે છે. રાજસ્થાન રોયલ્સ સાથેની અમારી ભાગીદારી અમને ઉદ્યોગ ક્ષેત્રમાંથી સ્વચ્છ ઊર્જાનો સંદેશ દેશભરના લોકોના હૃદય સુધી પહોંચાડવાની તક આપે છે. વારીમાં અમને વિશ્વાસ છે કે ઊર્જા પરિવર્તન સર્વસમાવેશક, પ્રેરણાદાયક અને દરેક ભારતીય માટે દૃશ્યમાન હોવું જોઈએ. આ સહયોગ અમારા માટે ગૌરવપૂર્ણ માઈલસ્ટોન છે. જેમ ભારત સ્વચ્છ ઊર્જામાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે, તેમ આ અભિયાન વ્યવસાયો સુધી મર્યાદિત ન રહી લોકોનું અભિયાન બને તે જરૂરી છે. રાજસ્થાન રોયલ્સ, તેમની મજબૂત વૈશ્વિક ફોલોઇંગ અને સમુદાય કેન્દ્રિત દૃષ્ટિકોણ સાથે, આ વિઝનને વિસ્તૃત કરવા માટે આદર્શ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. સાથે મળીને, અમે માત્ર એક ટીમને સમર્થન આપી રહ્યા નથી, પરંતુ ભારતને વધુ હરિયાળા અને ટકાઉ ભવિષ્ય તરફ ઝડપથી આગળ ધપાવવાના મોટા હેતુને આગળ વધારી રહ્યા છીએ”.

રાજસ્થાન રોયલ્સના સીઓઓ આલોક ચિત્રેએ ઉમેર્યું હતું કે , “અમારા મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર તરીકે વારી એનર્જીસનું રોયલ્સ પરિવારમાં સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. આ ભાગીદારી ક્રિકેટ દ્વારા સમાજમાં પરિવર્તન અને નવીનતા દ્વારા ક્રિકેટમાં પરિવર્તન લાવવાના અમારા સિદ્ધાંતનું મજબૂત પ્રતિબિંબ પાડે છે. વૈશ્વિક ઊર્જા પરિવર્તનને આગળ ધપાવવામાં વારીનું નેતૃત્વ, અમારા ભવિષ્ય તરફના અને હેતુપ્રેરિત ફ્રેન્ચાઇઝ બનાવવા માટેની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. સાથે મળીને, અમે રમત, નવીનતા અને હેતુપ્રેરિત ભાગીદારી વચ્ચેના સંકલન માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો હેતુ રાખીએ છીએ, તેમજ સમુદાયો પર અર્થપૂર્ણ અસર પેદા કરીએ છીએ. આ સહયોગ દ્વારા, અમે રોયલ્સના વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દૃશ્યતા વધારવા, ચાહકો સાથે જોડાવા અને મેદાનની બહાર સુધી વિસ્તરતો વારસો રચવાની આશા રાખીએ છીએ”.

આ ભાગીદારી વારીની સોલાર મોડ્યુલ્સ અને ટકાઉ ઊર્જા ક્ષેત્રમાં તેની વૈશ્વિક નિપુણતાને વાસ્તવિક સ્તરે અસરકારક બનાવવાના પ્રયત્નોને તેજ કરે છે અને “ક્રિકેટ દ્વારા સમાજમાં પરિવર્તન અને નવીનતા દ્વારા ક્રિકેટમાં પરિવર્તન” લાવવાના રાજસ્થાન રોયલ્સના મિશનના કેન્દ્રસ્થાને રાખે છે.

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here