Tuesday, February 25, 2025
HomeGujaratAhmedabadરાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં યુથ કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું; કહ્યું-પ્રમુખ બનાવવા પાર્ટીએ...

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં યુથ કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું; કહ્યું-પ્રમુખ બનાવવા પાર્ટીએ દોઢ કરોડ લીધા

Date:

spot_img

Related stories

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...
spot_img

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમારે રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આમ તો 2002થી જોઈએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી કુલ 65 નેતાઓએ રાજીનામાં આપ્યાં છે. 2017 બાદ 15 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમ થયું છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે યુવક કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે દોઢ કરોડ લીધાં છે. વિશ્વનાથસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, આવતીકાલે રાહુલજી સંમેલનમાં હાજર રહેવાના છે પણ 100માંથી 10 લોકોને પોતાનું બુથ ખબર નહીં હોય. મારા પિતા ગુજરી ગયા તેના પૈસા આવ્યા તે પૈસાથી ચૂંટણી લડ્યો છું. મારી સાત પેઢીમાં કોઈ રાજકારણમાં આવ્યું નથી હું એકલો જ આવ્યો છું. મને નિષ્ફળ કરવા અનેક નેતાઓએ પ્રયત્નો કર્યાં છે. મારી શક્તિ પુરી થઈ ગઈ એટલે મેં રાજીનામું આપ્યું છે. મારી પાસેથી પાર્ટીએ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા માટે દોઢ કરોડ લીધા છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સાત પાનાના પત્રમાં અનેક પ્રકારના આક્ષેપો કર્યાં છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ સાથે જોડાવાનું સૌથી મોટું કારણ હતું કે, નાનપણથી જ ઈતિહાસની ચોપડીઓ વાંચતા અને તેમાં એવું ભણ્ચા કે કોંગ્રેસના નેતાઓએ આઝાદી અપાવી. તેથી કોંગ્રેસ પક્ષ પસંદ કર્યો હતો. પરંતુ જેમ જેમ પક્ષમાં કામ કરતાં ગયાં તેમ તેમ ખબર પડી કે જે નેતાઓએ દેશને આઝાદી અપાવી હતી એમાંના ઘણા ખરા નેતાઓને 1969માં કોરાણે મુકી દેવાયાં હતાં. આઝાદી અપાવનારા જે નેતાઓ મારા પ્રેરણાસ્ત્રોત છે એમના ફોટા પણ મેં કોંગ્રેસની ઓફિસમાં જોયા નથી. હું ઘણા સમયથી હાલની કોંગ્રેસ એક પરિવારની ભક્તિમાં લીન હોય તેવું અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ પક્ષે મને જે કોઈ પદ આપ્યા એ મારી પાસેથી પૈસા લઈને વેચાતા આપ્યા. જેથી વેચાતા મળેલા પદ પર કોઈ વ્યક્તિને કેવી રીતે પ્રેમ આવી શકે. હું જ્યારથી યુથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ પક્ષના સિનિયર નેતાઓના જૂથવાદનો ભોગ બનતો આવ્યો છું. યુથ કોંગ્રેસમાં જે સિનિયર નેતાઓએ મારી મદદ કરી હતી તેમની સામેના જૂથના નેતાઓએ મને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. પરિસ્થિતિથી કંટાળીને મેં રાજીનામુ આપ્યું છે.મેં 3-4 દિવસ અગાઉ શ્રીનિવાસ અને ક્રિષ્નાને મેસેજ કર્યા હતા તે લોકોએ મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હાર્દિક 3-4 માહિજ અગાઉ જઈ ચુક્યા છે. અમારી વેદના સરખી હોઈ શકે. નામ નહીં લઉ પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓને ખબર જ છે કોના કારણે છોડી રહ્યો છે. 10 વર્ષથી જુથબંધી ચાલી રહી છે. પાર્ટીનો જૂથવાદ પાર્ટીને મુબારક. ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ. રાજકારણ કરવાનું છે.મારી જેમ અસંખ્ય યુવાનો પાર્ટીથી નારાજ છે. મારી સાથે જેને જોડાવવું હોય તે આવી શકે છે.વિશ્વનાથસિંહ સાથે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અને ગુજરાત યુનિવર્સીટીના સિન્ડિકેટ મેમ્બર વનરાજસિંહ ચાવડા આવ્યા હતા.

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here