Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના મોટાભાગના માર્કેટમાં રવિવારે દુકાનો બંધ જોવા મળી, કાલુપુર ફ્રૂટ માર્કેટ સિવાય...

અમદાવાદના મોટાભાગના માર્કેટમાં રવિવારે દુકાનો બંધ જોવા મળી, કાલુપુર ફ્રૂટ માર્કેટ સિવાય તમામ માર્કેટમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

Date:

spot_img

Related stories

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સરકારે કોરોનાની ચેઇન તોડવા કેટલાક પ્રતિબંધો લાદી દીધા છે. અમદાવાદમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને માત્ર આવશ્યક સેવાઓ ને જ બજારમાં દુકાનો ચાલુ રાખવા માટે છૂટ આપી છે. જેથી બજારોમાં ભીડ ન ઉમટે. આ નિર્ણય ને વેપારીઓએ પણ આવકાર્યો છે અને મોટાભાગના દુકાનો અને માર્કેટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પરિસ્થિતિમાં શહેર ના કેટલાક માર્કેટ માં છેલ્લા કેટલાક દિવસથી લોકો નો ધસારો જોવા મળતો હતો. જેમાં કાલુપુર માર્કેટ અને માધુપુરા માર્કેટમાં લોકોનો સૌથી વધારે ભીડ જોવા મળતી હતી. જેમાં લોકો અનાજ અને કરીયાણું લેવા માટે આવતા હતા સાથે આજે રવિવાર હોવાના લોકો આ માર્કેટમાં મોટી સંખ્યામાં આવે તેવી ભીતિના કારણે માધુપુરા માર્કેટ અને કાલુપુર માર્કેટ ના વેપારીઓ મળીને તમામ દુકાનો બંધ રાખી હતી.પૂર્વ વિસ્તારમાં દુકાનો સજ્જડ બંધ આ સાથે સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ તમામ દુકાનો આજે સજ્જડ બંધ જોવા મળી. બપોરે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ તો રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકો આ મહામારી થી બચવા માટે હવે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો આવી રીતે લોકો નિયમોનું પાલન કરશે અને સરકાર ને સહકાર આપશે તો આપણે કોરોના સામે જરૂર થી જંગ જીતીશુ.જોકે કાલુપુર ફ્રૂટ માર્કેટ માં લોકો જોવા મળ્યા હતા. માર્કેટમાં લોકો શહેરના અલગ અલગ વિસ્તારમાં થી ફ્રૂટ લેવા આવ્યા હતા કોરોના મહામારી લોકો પોતાની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ફ્રૂટ આરોગતા હોય છે. જેથી માર્કેટમાં સવારથી જ લોકો ધસારો જોવા મળ્યો હતો. સાથે ફ્રૂટ ના ભાવ માં પણ સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ ફ્રૂટ ની ડિમાન્ડ વધી રહી છે તેમ ભાવ પણ વધી રહ્યા છે.શહેરમાં કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિના પરિણામે વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક બંધનો નિર્ણય લઈને આગળ આવી રહ્યા છે. આ જ લાઈનમાં હવે કાલુપુર ટંકશાળ બજારના વેપારીઓ પણ જોડાયા છે. એસોસિયેશન દ્વારા એક પત્ર લખીને આ વાતની જાણકારી અપાઈ છે. આ પત્રમાં લખેલું છે કે, હાલમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 26 એપ્રિલે કમિટીની ખાસ મીટિંગ બોલાવાઈ હતી, જેમાં સર્વ સંમતીથી નક્કી કરાયું છે કે, તા, 30 એપ્રિલ, 1લી તથી 2જી મે સુધી કાલુપુર ટંકશાળ બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here