Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ...

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે. આ વર્ષે જૂનથી શરુ થયેલા ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 44 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રએ રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો છે. છેલ્લા ચાર વર્ષના સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 363 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 50 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચાર વર્ષમાં 363 ભુવાના સમારકામ પાછળ રૂ. 50 કરોડનો ખર્ચ :
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય પણ રોડ ઉપર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન વહીવટીતંત્ર ભુવા શબ્દનો ઉપયોગ કરવાના બદલે બ્રેકડાઉન શબ્દનો ઉપયોગ કરે છે. વિવિધ વિસ્તારના રોડ ઉપર ભુવા મશીનહોલ, ડ્રેનેજલાઇન અથવા આર.સી.સી.ડકટમાં ભંગાણ થવાથી પડતા હોવાનુ કારણ મહદઅંશે વહીવટીતંત્ર તરફથી આગળ કરવામાં આવી રહ્યું છે.

ડ્રેનેજલાઇનમાં ભંગાણના કારણે 14 ભુવા પડ્યા :

આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઇનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 73.12 લાખનો ખર્ચ કર્યો હતો. મશીનહોલમાં ભંગાણના કારણે 11 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 47.5 લાખનો ખર્ચ કરાયો હતો. અન્ય કારણથી શહેરમાં 19 ભુવા પડ્યા હતા. 44 ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો હતો.અમદાવાદમાં દર વર્ષે નવા રોડ બનાવવા ઉપરાંત રોડ રીસરફેસ કરવા તથા વિવિધ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા તેમજ રોડ ઉપર પડતાં ભુવાના સમારકામની કામગીરી પાછળ અંદાજે રુપિયા એક હજાર કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવે છે. નવા રોડ બનાવવા કે વ્હાઇટ ટોપિંગ રોડ અથવા આઇકોનિક રોડ બનાવવા કોન્ટ્રાક્ટરોને અપાતાં વર્કઓર્ડરમાં મ્યુનિસિપલના અધિકારીઓ અને રાજકારણીઓની કોન્ટ્રાક્ટરો સાથે ટકાવારી નક્કી થયેલી જ હોય છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here