Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

અમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ, તા.૩
ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ગયુ છે. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા નિકળનાર છે. આવતીકાલે ગુરૂવારના દિવસે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને લઇને ૨૫ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈયાર થઇ ચુક્યા છે. આના માટે રિહર્સલ પણ થઇ ચુક્યું છે. મળેલી માહિતી મુજબ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમ અને અન્ય સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરુપે દરિયાપુર અને શાહપુર વિસ્તાર અતિસંવેદનશીલ માનવામાં આવે છે. કાલુપુર ચોખા બજારથી લઇને દરિયાપુર વિસ્તારના જાર્ડન રોડ થઇ અને દિલ્હી ચકલા સુધી સાત ડીએસપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક આરએએફ, ચાર બીએસએફ, ચાર એસઆરપી, એક મહિલા બીએસએફની કંપની તૈનાત કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત દરિયાપુરમાં ૬૩ અને શાહપુર વિસ્તારમાં ૪૭ કેમેરા મળીને ૧૦૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ ઉપર રિહર્સલ કરવામાં આવી ચુક્યુ છે. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું હતું. ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે પહેલાથી જ સુરક્ષા જવાનો તમામ માર્ગો પર ગોઠવાઇ ગયા હતા. આને લઇને છેલ્લા કેટલાક દિવસથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આ વખતે અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. ચેતક કમાન્ડોની એક યુનિટ ગોઠવવામાં આવી હતી. જુદા જુદા રાજ્યોની કંપનીઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મોસાળ સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આ વખતે ૨૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચેતક કમાન્ડોની બે ટુકડીઓ રહેશે. આસામ અને નાગાલેન્ડની બે કંપનીઓ પણ ગોઠવી દેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી હતી. ૩૦૦થી વધારે લોકોને પાસા અને ૧૫૦થી વધારે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલી બલુન અને ડ્રોનની ૧૮ ટીમો મારફતે સુરક્ષા પર નજર રહેશે. હવાઇ સર્વેલન્સના માટે ૧૮ ટીમો તૈયાર કરવામાં આવી છે. રથયાત્રાને લઇને સુરક્ષામાં કોઇ કમી રાખવામાં આવનાર નથી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here