Friday, June 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

અમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ, તા.૩
ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ગયુ છે. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા નિકળનાર છે. આવતીકાલે ગુરૂવારના દિવસે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રાને લઇને ૨૫ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈયાર થઇ ચુક્યા છે. આના માટે રિહર્સલ પણ થઇ ચુક્યું છે. મળેલી માહિતી મુજબ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમ અને અન્ય સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરુપે દરિયાપુર અને શાહપુર વિસ્તાર અતિસંવેદનશીલ માનવામાં આવે છે. કાલુપુર ચોખા બજારથી લઇને દરિયાપુર વિસ્તારના જાર્ડન રોડ થઇ અને દિલ્હી ચકલા સુધી સાત ડીએસપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક આરએએફ, ચાર બીએસએફ, ચાર એસઆરપી, એક મહિલા બીએસએફની કંપની તૈનાત કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત દરિયાપુરમાં ૬૩ અને શાહપુર વિસ્તારમાં ૪૭ કેમેરા મળીને ૧૦૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ ઉપર રિહર્સલ કરવામાં આવી ચુક્યુ છે. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું હતું. ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે પહેલાથી જ સુરક્ષા જવાનો તમામ માર્ગો પર ગોઠવાઇ ગયા હતા. આને લઇને છેલ્લા કેટલાક દિવસથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આ વખતે અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. ચેતક કમાન્ડોની એક યુનિટ ગોઠવવામાં આવી હતી. જુદા જુદા રાજ્યોની કંપનીઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મોસાળ સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રથયાત્રામાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આ વખતે ૨૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચેતક કમાન્ડોની બે ટુકડીઓ રહેશે. આસામ અને નાગાલેન્ડની બે કંપનીઓ પણ ગોઠવી દેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાળજી રાખવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પહેલા પેટ્રોલિંગ અને કોમ્બિંગની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી હતી. ૩૦૦થી વધારે લોકોને પાસા અને ૧૫૦થી વધારે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલી બલુન અને ડ્રોનની ૧૮ ટીમો મારફતે સુરક્ષા પર નજર રહેશે. હવાઇ સર્વેલન્સના માટે ૧૮ ટીમો તૈયાર કરવામાં આવી છે. રથયાત્રાને લઇને સુરક્ષામાં કોઇ કમી રાખવામાં આવનાર નથી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here