Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઆજે સિનિયર સિટિઝન ડે : ગુજરાતમાં સિનિયર સિટીઝન પર થતાં ગુનાના પ્રમાણમાં...

આજે સિનિયર સિટિઝન ડે : ગુજરાતમાં સિનિયર સિટીઝન પર થતાં ગુનાના પ્રમાણમાં ચાર વર્ષમાં 44 ટકા જેટલો વધારો : 10 વર્ષમાં 2600 વૃદ્ધોની આત્મહત્યા

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

ગુજરાતમાં સિનિયર સિટીઝન પર થતાં ગુનાના પ્રમાણમાં ચાર વર્ષમાં 44 ટકા જેટલો વધારો નોંધાયો છે. સિનિયર સિટીઝન પર હુમલાની ઘટના નાણાકીય વર્ષ 2020-21માં 420 હતી અને જે 2022-23માં 604 નોંધાઇ છે. આ સમયગાળામાં સિનિયર સિટીઝન પર ચોરી, લૂંટ, ગેરવસૂલી, છેતરપિંડી જેવી ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દર વર્ષે અનેક દેશમાં 21 ઓગસ્ટની ઉજવણી ‘વર્લ્ડ સિનિયર સિટીઝન ડે’ તરીકે કરવામાં આવે છે ત્યારે વૃદ્ધ નાગરિકો પર થતાં હુમલાની ઘટના ચિંતાજનક છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2023માં વૃદ્ધો સામે ગેરવસૂલીની 29, લૂંટની 96, છેતરપિંડીની 268 અને ચોરીની 1243 ઘટના નોંધાયેલી છે. એક્સટોર્શન (ગેરવસૂલી)ના કેસ 2021-22માં 6 હતા અને 2022-23માં વધીને 15 થયેલા છે. જાણકારોના મતે, વૃદ્ધો પર એક્સટોર્શનના મોટાભાગના કેસ ‘સેક્સટોર્શન’ ને લગતા હોય છે. જેમાં સોશિયલ મીડિયામાં તેમને બ્લેકમેલ કરીને નાણા વસૂલવામાં આવતા હોય છે. આ ઉપરાંત ઓટીપી, એટીપી ફ્રોડમાં પણ તેમને છેતરપિંડીનો વધારે સામનો કરવો પડે છે. એનસીઆરબીના અહેવાલ અનુસાર વૃદ્ધો સામે છેતરપિંડીની 2021માં 96- 2022માં 81, બળાત્કારની ઘટના 2021માં 1-2022માં 1, હત્યાની ઘટના 2021માં 67-2022માં 49 નોંધાઇ હતી.આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં 2208 પુરુષ-408 મહિલા એમ 2616 નિવૃત્ત વ્યક્તિઓ દ્વારા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. આત્મહત્યાના મોટાભાગના કિસ્સામાં એકલવાયું જીવન, લાંબા સમયની બીમારી જવાબદાર હોવાની વિગત સામે આવેલી છે. વર્ષ 2018માં 260 જ્યારે વર્ષ 2022માં 334 નિવૃત્ત વ્યક્તિએ આત્મહત્યા કરેલી હતી.તજજ્ઞોના મતે, રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ વૃદ્ધો નાગરિકો માટે 14567 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે. જેમાં સરકારની વૃદ્ધ પેન્શન યોજના, નાગરિકોની સરકારી યોજનાનું માર્ગદર્શન અને નિરાકરણ, વૃદ્ધાઓની સારવાર અને સંભાળ તથા વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાશ્રમ અંગેની માહિતી પૂરી પાડવાની જવાબદારી પણ હેલ્પલાઇન દ્વારા પૂરી પાડવામાં આવે છે.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here