Friday, June 5, 2026
HomeGujaratAhmedabadવડોદરા એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાળાબંધી કરીને ધરણા પર બેઠા : એક વિદ્યાર્થિનીની તબિયત...

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાળાબંધી કરીને ધરણા પર બેઠા : એક વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે આજે ફરી એક વખત હંગામો થયો હતો. વડોદરાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે તેવી માગ સાથે આજે કેટલાક વિદ્યાર્થીઓએ મેઈન બિલ્ડિંગ ખાતે દેખાવો કર્યા હતા.જોકે ફેકલ્ટી ડીન ઓફિસમાં હાજર નહીં હોવાના કારણે આ વિદ્યાર્થીઓએ મેઈન બિલ્ડિંગની તાળાબંધી કરી હતી અને આકરા તાપમાં બહાર ધરણા પર બેસી ગયા હતા.ધો.૧૨માં ૫૩ ટકા માર્કસ હોવા છતા પ્રવેશ નહીં મળતો હોવાથી ધરણામાં બેઠેલી એક વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી.જેના પગલે તેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થિનીને આ પહેલા પણ હોસ્પિટલમાં બીજા કારણસર સારવાર માટે દાખલ કરાઈ હતી અને તાજેતરમાં રજા અપાઈ હતી પણ ધો.૧૨ પાસ કર્યા પછી પણ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતો હોવાના કારણે વિદ્યાર્થિની ધરણામાં સામેલ થઈ હતી.દરમિયાન પ્રવેશ કાર્યવાહી શરુ ના કરાય ત્યાં સુધી તાળા ખોલવાનો ઈનકાર કરનારા વિદ્યાર્થીઓને હટાવવા માટે ડીને પોલીસ બોલાવી હતી.પોલીસે પૂર્વ એફઆર નિખિલ સોલંકી સહિત ત્રણ વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને જીપમાં બેસાડયા હતા અને તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા.જ્યાં તેમને ચાર કલાક સુધી બેસાડી રાખ્યા બાદ છોડવામાં આવ્યા હતા.કોમર્સ ફેકલ્ટીમાં ધો.૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે આંદોલન છેડનાર પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ આજે જાહેરમાં ધમકી આપી હતી કે, જો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય તો હું ફેકલ્ટી ડીનનુ મોઢંુ કાળું કરીશ.જેની સામે ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, પૂરક પરીક્ષા પાસ કરનારાઓને પ્રવેશ આપવો શક્ય નથી.કારણકે અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડવાની જગ્યા પણ નથી અને તેમને ભણાવવા માટે વધારાના અધ્યાપકો પણ નથી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here