Monday, February 24, 2025
Homenationalકાશ્મીરમાં ચાર આતંકી ઠાર, સામે આવ્યું IS કનેક્શન

કાશ્મીરમાં ચાર આતંકી ઠાર, સામે આવ્યું IS કનેક્શન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

જમ્મુ કાશ્મીરના અનંતનાગના શ્રીગુફારામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલું છે. આ અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યાં છે. માર્યા ગયેલા આતંકીઓનું ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદએ આતંકીઓના આઈએસજેકે (ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર) સાથે કનેક્શન હોવાની શંકા દર્શાવી છે.એવું જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી કાશ્મીરના જ રહેવાસી છે. આ એન્કાઉન્ટરમાં આઈએસજેકેનું નામ આવવાથી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. આથી એવી પણ આશંકા છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરમાં પગ પેસારો કરવાની કોશિશ કરી રહ્યું છે. પીટીઆઈ અનુસાર માર્યા ગયેલા આતંકીઓમાં આઈએસજેકેના વડા દાઉદનો પણ સમાવેશ થાય છે.શ્રીગુફારા અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મરાયાં એ સુરક્ષાદળની મોટી સફળતા માનવામાં આવે છે. નોંધનીય છે કે આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં જમ્મુ કાશ્મીરના જકુરામાં જ એક આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી. આ હુમલામાં એક પોલીસકર્મી શહિદ થયાં હતાં. જે પછી ઈસ્લામિક સ્ટેટને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી.ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરને આઈએસઆઈએસનું જ એક સંગઠન માનવામાં આવે છે. આ સંગઠન ભારતમાં યુવાઓને ઈસ્લામના નામ પર ભડકાવીને દેશ વિરોધી ગતિવિધિઓમાં સમાવેશ કરે છે. થોડા સમય પહેલા સરકારે ભારતમાં ઈસ્લામિક સ્ટેટ હોવાની આશંકાને નકારી હતી. જોકે, શ્રીગુફારામાં અથડામણ એ આ સંગઠનની હાજરીનું તાજું જ ઉદાહરણ છે.નોંધનીય છે કે શ્રીગુફારામાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તાર ઘેરી રાખ્યો છે. જાણકારીના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારમાં કાર્યવાહી ચાલુ કરી હતી. નોંધનીય છે કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવા જિલ્લામાં પણ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલું કર્યું છે. આ ઓપરેશન વચ્ચે વિસ્તારમાં તણાવની શક્યતા જોતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નોંધનીય છે કે પુલવામાં જિલ્લામાં બે દિવસ પહેલા જ સેના અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યાં હતાં. આ આતંકીઓ પાસેથી એકે-47 રાઈફલ સહિત અન્ય સામાન પણ કબ્જે કરાયો હતો. આ ઓપરેશન દરમિયાન સેનાએ તે ઘરને પણ ઉડાવી માર્યું હતું. જેમાં આતંકીઓએ શરણ લીધી હતી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img