Thursday, July 16, 2026
Homenationalઅમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, કાશ્મીર પહોંચ્યા NSG કમાન્ડો

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, કાશ્મીર પહોંચ્યા NSG કમાન્ડો

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કેન્દ્ર સરકાર રમઝાન બાદ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશનને સ્થગિત કરવાને લઈને હાલ ‘વેટ એંડ વોચ પૉલિસી’ પર કામ કરી રહી છે. આ દરમિયાન એક સૈનિક અને એક પત્રકારની હત્યાએ આતંકવાદીઓના વધતા જતા સાહસ તરફ ધ્યાન દોર્યું છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છે કે, પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન અમરનાથ યાત્રા દરમિયાન મોટો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે જે 21 દિવસ સુધી ચાલશે.

રમઝાન દરમિયાન આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન સ્થગિત કરવાની સમીક્ષા માટે ગુરૂવારે જ ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મેહબૂબા સરકારે આ વખતે કેન્દ્ર સરકાર પાસે વધારે 22 હજાર જવાનોની માંગણી કરી છે.

આ બેઠકના બીજા જ દિવસે સુરક્ષા એજન્સીઓને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ્સ મળ્યાં છે. જેમાં અમરનાથ યાત્રા આ વખતે પણ ત્રાસવાદીઓના નિશાને હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો અમરનાથ યાત્રામાં વિક્ષેપ ઉભો કરવા માંગે છે. તેઓ અમરનાથ યાત્રીઓ પર હુમલા કરવા મોટા ષડયંત્રને અંજામ આપવાના બદઈરાદાઓ ધરાવે છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તચર એજન્સીઓએ જાણકારી આપી છે કે, સુરક્ષા બળો પર મોટો હુમલો કરવા માટે આતંકવાદીઓ ષડયંત્ર રચી રહ્યાં છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવા માટે આતંકીઓ શ્રદ્ધાળુઓ કે પછી સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવા માટે IED નો પયોગ કરી શકે છે.

ગત વર્ષે પણ અમરનાથ યાત્રીઓ પર ત્રાસવાદી હુમલો થયો હતો. જેમાં ગુજરાતથી આવેલા અમરનાથ યાત્રીઓની બસને નિશાન બનાવીને ભિષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories