Sunday, March 8, 2026
Homenationalકેરળના સબરીમાલા મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસીક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ...

કેરળના સબરીમાલા મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસીક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને હટાવી દીધો છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

હવે દરેક મહિલાઓ માટે ખૂલ્યાં સબરીમાલા મંદિરના દરવાજા, સુપ્રીમ કોર્ટે હટાવ્યો પ્રતિબંધહવે મહિલાઓ પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકશે.ચુકાદા વખતે કોર્ટે કરી આ ટીપ્પણી

– ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, દરેક ભક્તને પૂજા કરવાનો અધિકાર છે. લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય.
– 10 વર્ષની બાળકીથી લઈને 50 વર્ષની મહિલાને મંદિરમાં જતા રોકવાની પ્રથા બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
– ભગવાન અય્યપ્પાના દરેક ભક્તો હિન્દુ છે. તે કોઈ અલગ ધાર્મિક સમુદાયના નથી. સબરીમાલા મંદિરમાં પ્રવેશના જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેને અનિવાર્ય ધાર્મિક પ્રથા ન ગણાવી શકાય.
– સમાજે હવે તેમની વિચારસરણી બદલવાની જરૂરી છે. દરેક સમાજમાં મહિલાઓને સન્માન આપવું જોઈએ.
– સબરીમાલા મંદિરની પ્રથા હિન્દુ મહિલાઓના અધિકારોનું હનનકરે છે. કાયદા અને સમાજનું કામ બરાબરી બનાવી રાખવાનું છે. ભગવાન પ્રતિ પૂજા અને શ્રદ્ધામાં ભેદભાવ ન રાખી શકાય.

– 4-1ના બહુમતથી સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, કેરળના પત્થનમથિટ્ટા જિલ્લાના પશ્ચિમ ઘાટની પહાડી પર આવેલા સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નહતો કારણ કે આ વયની મહિલાઓ માસિક ધર્મમાંથી પસાર થતી હોય છે. આ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે.

અય્યપ્પા સ્વામીને માનવામાં આવે છે બ્રહ્મચારી

કેરળમાં શિવ અને વૈષ્ણવોમાં વધતા વૈમનસ્યના કારણે એક મધ્ય માર્ગની સ્થાપના કરવામાં આવી છે. તેમાં અય્યપ્પા સ્વામીનું મંદિર સબરીમાલા બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક પંથના લોકો આવી શકે છે. આ મંદિર 700થી 800 વર્ષ જૂનુ છું. અય્યપ્પન સ્વામીને બ્રહ્મચારી માનવામાં આવે છે. આ જ કારણથી મંદિરમાં તે મહિલાઓને પ્રવેશ વર્જિત હોય છે જે રજસ્વલા થઈ શકે છે.

છેલ્લાં કેટલાય સમયથી મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશેની માગણી કરવામાં આવતી હતી અને મંદિર પ્રશાસન દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવતો હતો. તેથી આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ સભ્યોની બેન્ચે આ વિશે ઓગસ્ટમાં સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here