Sunday, March 8, 2026
HomeAhmedabadકોલકાતાની હોસ્પિટલ પર સુપ્રીમના આદેશ બાદ સીઆઇએસએફના 150 જવાન તૈનાત

કોલકાતાની હોસ્પિટલ પર સુપ્રીમના આદેશ બાદ સીઆઇએસએફના 150 જવાન તૈનાત

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કોલકાતા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતાની ચર્ચાસ્પદ આરજી કર હોસ્પિટલ પર અર્ધ સૈન્ય દળ સીઆઇએસએફના ૧૫૦ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. બુધવારે વહેલી સવારે સીઆઇએસએફની એક ટીમને ડીઆઇજી રેંકના અધિકારી આરજી કર હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા કે જ્યાં એક ટ્રેની ડોક્ટરની રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ જવાનો હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડોક્ટરોના રહેણાંક અને હોસ્ટેલની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ કેમ્પસમાં રહેતા અનેક ડોક્ટરો અન્ય સ્થળે જતા રહ્યા છે. બીજી તરફ ડોક્ટરોની સુરક્ષાને લઇને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ અસોસિએશન (ફેઇમા)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સંગઠને કહ્યું હતું કે તાજેતરની ઘટનાઓ વચ્ચે હાલ ડોક્ટરો પર જોખમ વધી ગયું છે. જ્યારે કોલકાતાની આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે હોસ્પિટલના જ એક પૂર્વ અધિકારીએ ગંભીર આરોપો લગાવ્યા છે. સીબીઆઇએ પણ સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી. હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપ્રિડેન્ડન્ટ અખ્તર અલીએ દાવો કર્યો છે કે સંદીપ ઘોષ હોસ્પિટલની લાવારિસ લાશોને વેચવાનું રેકેટ ચલાવે છે. તેઓ બાયોમેડિકલ વેસ્ટની તસ્કરી સાથે પણ સંકળાયેલા છે. તેઓ ઇરાદાપૂર્વક વિદ્યાર્થીઓને નાપાસ કરતા હતા, ટેન્ડર ઓર્ડર પર ૨૦ ટકા કમિશન લેતા હતા, પોતાના ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓને દારુ પણ પિવડાવતા હતા, પત્ની સાથે મારપીટ કરી હતી આવા અનેક આરોપ તેમના પર લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ ટીએમસીમાં આ સમગ્ર મામલે તડા જોવા મળી રહ્યા છે. ખુદ મમતા બેનરજીના ભત્રિજા અભિષેક બેનરજી પણ પશ્ચિમ બંગાળ પોલીસ જે રીતે મામલાની તપાસ કરી રહી છે તેનાથી ખુશ ન હોવાના સંકેતો મળી રહ્યા છે. આરજી કર હોસ્પિટલના આરોપીનું એન્કાઉન્ટર કરવાની માગણી કરનારા અભિષેક તાજેતરમાં મમતા બેનરજી દ્વારા યોજવામાં આવેલી રેલીમાં નહોતા જોવા મળ્યા. અભિષેક બેનરજી રેલીમાં ગેરહાજર રહીને મમતાને સંદેશો આપવા માગતા હતા કે તેઓ હોસ્પિટલની ઘટના અને તે બાદ પોલીસ દ્વારા કરાયેલી નબળી કાર્યવાહીથી ખુશ નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બદલાપુરમાં બે બાળકીઓના શારિરીક શોષણ બાદ કહ્યું હતું કે સમાજ તરીકે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ તે વિચારવા મજબૂર કરી દે છે, તમામ સરકારો અને પક્ષોએ એક થઇને મહિલાઓની સુરક્ષા માટે ક્યા પગલા લઇ શકાય તેને લઇને ચિંતન મનન કરવું જોઇએ.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here