Tuesday, June 3, 2025
HomeGujaratAhmedabadગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા

Date:

spot_img

Related stories

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ...

ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ગુજરાતના સુરતમાં તેનું પહેલું...

26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ...

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની...

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા,...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે...
spot_img

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી છે. ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગામના જ બે શખશોએ હત્યાને અંજામ આપ્યો હતો.મોડી રાત્રે બે શખશો મોટર સાયકલ પર આવ્યાં અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતાં. આ બે વ્યક્તિ શંકર રાઠવા અને રેવજી રાઠવા હોવાનો આરોપ લગાવાયો છે. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાનો મૃતક સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતે હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, બંને આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM માટે ક્વાંટ હોસ્પિટલ મોકલાયો છે.સમગ્ર ઘટના બાબતે રામસિંહ રાઠવાએ કહ્યું કે, ‘હાલ ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર્તા હતો. તેને કોઈની સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેના વિશે ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે અને તેને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે.’સમગ્ર હત્યાની તપાસ કરી રહેલાં એસપીએ જણાવ્યું કે, ‘મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ થઈ રહી છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. જેની પીપલદી ગામની નજીકના અન્ય એક ગામમાંથી અટકાયત કરવામાં આવી છે.’આ હત્યાના બનાવથી કોંગ્રેસે ભાજપને ગંભીર સવાલો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ આ વિષય પર વાત કરતાં કહ્યું , આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને છાસવારે આવી ઘટનાઓ બની રહી છે.

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ...

ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ગુજરાતના સુરતમાં તેનું પહેલું...

26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ...

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની...

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા,...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here