Saturday, May 10, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં ડેન્ગ્યુનો હાહાકાર: અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત

ગુજરાતમાં ડેન્ગ્યુનો હાહાકાર: અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

ગત 15 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં અમદાવાદમાં 688 કેસ, વડોદરમાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેંગ્યુના લીધે અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે સુરતમાં 1 મહિલાનું થયું છે. જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 345 કેસ નોંધાયા હતા. સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 174 જ્યારે અસારવા સિવિલમાં પાંચ દિવસમાં 61 કેસ નોંધાયા છે. અસારવા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં 23058 દર્દી નોંધાયા છે જ્યારે 1998 દર્દીને દાખલ કરાયા છે. ડેન્ગ્યુના ગત મહિને 247 કેસ હતા, જેની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં 61 દર્દી નોંધાયા છે. સિવાય છેલ્લા પાંચ દિવસમાં મલેરિયાના 10, ઝેરી મલેરિયાના 1, ચિકનગુનિયાના ચાર, બાળકને ડેન્ગ્યુના 16, વાયરલ ફિવરના 68 કેસ નોંધાયા છે. ગત સમગ્ર મહિનામાં મલેરિયાના 101, ચિકનગુનિયાના 39, વાયરલ ફિવરના 962 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બાવન વર્ષીય મહિલાને સ્વાઇન ફ્‌લૂને પગલે શુક્રવારે દાખલ કરાઇ હતી. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ પ્રદૂષિત પાણી કારણભૂત હોવાનું તારણ સામે આવ્યુ છે. આઠ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામાં આવતા પાણી ઉપરાંત બોરવેલના પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી 969 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સૌથી વધુ અસર જોવા મળી છે. ડેન્ગ્યુના કેટલાક દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 50,000 કરતાં ઓછું હોવું જીવલેણ સાબિત થઇ શકે છે. તેથી જ આહાર અને યોગ્ય સારવારની સલાહ આપવામાં આવે છે.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here