Monday, April 7, 2025
HomeGujaratગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9218 શિક્ષકને કુલ એક કરોડનો...

ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9218 શિક્ષકને કુલ એક કરોડનો દંડ

Date:

spot_img

Related stories

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે...

આર્જેન્ટિનાનાં ઉસૂઆયામાં મનમોહક સૌંદર્ય અને સતત પડી રહેલા હલ્કા...

પેલેડિયમ અમદાવાદ અને ક્રાફ્ટ રૂટ્સ સંયુક્ત રીતે ગ્રાન્ડ ક્રાફ્ટ...

પેલેડિયમ અમદાવાદ, શહેરનું સર્વોચ્ચ લક્ઝરી શોપિંગ અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન,...

રતુલ પુરીએ UPPCL તરફથી 425MWp પ્રોજેક્ટ હાંસલ કરીને હિન્દુસ્તાન...

રતુલ પુરીની કંપની હિન્દુસ્તાન પાવરે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા...

ભારતમાં સ્થૂળતાના વધી રહેલા પ્રમાણ વચ્ચે ધ ગુડ બગે...

ભારત એક મોટા સ્વાસ્થ્ય સંકટના આરે આવીને ઉભું છે,...

પ્રસિદ્ધ ટેલિવિઝન કલાકાર આર્યન સિંઘ રાજપુત કુમકુમ ભાગ્યના કાસ્ટમાં...

ઝી ટીવીનો કુમકુમ ભાગ્યએ તાજેતરમાં જ એક આકર્ષક જનરેશનલ...

નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ગોલ્ડ જીત્યો

કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા...
spot_img

ગુજરાત: ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી 2657 જેટલા શિક્ષકોએ દંડના બાકી 55 લાખ રૂપિયા ભર્યા નથી વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ધોરણ-10માં બે વર્ષમાં 3350 અને ધોરણ-12માં 5868 શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણીમાં ભૂલો કરી હતી. આ ભૂલ બદલ તમામને શિક્ષણ વિભાગ દ્વારા બન્ને ધોરણમાં અનુક્રમે 48 લાખ અને 1.02 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ-10માં હજી સુધી 787 અને ધોરણ-12માં 1870 શિક્ષકોએ દંડની રકમ ભરી નથી. આ બન્ને ધોરણમાં દંડની રકમ અનુક્રમે 13 લાખ અને 42 લાખ થવા જાય છે. જે શિક્ષકોએ દંડ ભર્યો છે તેની રકમ બંન્ને ધોરણની મળીને કુલ 99 લાખ રૂપિયા થાય છે. બાકી રકમ વસૂલ કરવાના લેવાયેલા પગલાં અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ 2022ની પરીક્ષામાં ભૂલ બદલ દંડ ભરવામાં બાકી રહેલા વિષય શિક્ષકોની શાળાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે, જ્યારે માર્ચ 2023ની પરીક્ષામાં ભૂલ બદલ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. ઉત્તરવહીમાં સરવાળામાં ભૂલ બાબતે મૂલ્યાંકનકાર શિક્ષકને ભૂલ પ્રત્યક્ષ બતાવીને જ દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બોર્ડની પરીક્ષામાં પરિક્ષકની ભૂલના કારણે હજારો વિદ્યાર્થીઓને સહન કરવું પડ્યું છે. આવી ભૂલો ન થાય તે માટે મૂલ્યાંકન કેન્દ્રો પર શિક્ષકની ટીમમાં એક વેરીફાયરની નિયુક્તિ કરવામાં આવી છે.

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે...

આર્જેન્ટિનાનાં ઉસૂઆયામાં મનમોહક સૌંદર્ય અને સતત પડી રહેલા હલ્કા...

પેલેડિયમ અમદાવાદ અને ક્રાફ્ટ રૂટ્સ સંયુક્ત રીતે ગ્રાન્ડ ક્રાફ્ટ...

પેલેડિયમ અમદાવાદ, શહેરનું સર્વોચ્ચ લક્ઝરી શોપિંગ અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન,...

રતુલ પુરીએ UPPCL તરફથી 425MWp પ્રોજેક્ટ હાંસલ કરીને હિન્દુસ્તાન...

રતુલ પુરીની કંપની હિન્દુસ્તાન પાવરે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા...

ભારતમાં સ્થૂળતાના વધી રહેલા પ્રમાણ વચ્ચે ધ ગુડ બગે...

ભારત એક મોટા સ્વાસ્થ્ય સંકટના આરે આવીને ઉભું છે,...

પ્રસિદ્ધ ટેલિવિઝન કલાકાર આર્યન સિંઘ રાજપુત કુમકુમ ભાગ્યના કાસ્ટમાં...

ઝી ટીવીનો કુમકુમ ભાગ્યએ તાજેતરમાં જ એક આકર્ષક જનરેશનલ...

નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ગોલ્ડ જીત્યો

કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here