Monday, February 24, 2025
HomeGujaratગોંડલમાં SPએ મહારાજા ભગવતસિંહજીની તસવીર પોલીસ સ્ટેશનમાંથી હટાવતા, MLAએ રેલી કાઢી વિરોધ...

ગોંડલમાં SPએ મહારાજા ભગવતસિંહજીની તસવીર પોલીસ સ્ટેશનમાંથી હટાવતા, MLAએ રેલી કાઢી વિરોધ કર્યો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સિટી પોલીસ મથકમાં ગતરાત્રીના જિલ્લા પોલીસવડાએ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મહારાજા ભગવતસિંહજીની દૈદીપ્યમાન તસવીર વિશે અણ છાજતા શબ્દોનો પ્રયોગ કરી તસવીર હટાવી લેવાનો આદેશ કરતા સ્થાનિક પોલીસે તસવીર હટાવી લેવાતામાં આવી હતી. આ બનાવની જાણ શહેરીજનોને થતા રોષે ભરાયા હતા. MLA ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ વિશાળ રેલી નીકળી અને 24 કલાકમાં મહારાજાની તસ્વીર મૂળ જગ્યાએ લગાડવા તથા ગુસ્સાખી બદલ માફી માગવા અન્યથા ગોંડલ બંધ સહિત આંદોલનની ચીમકી અપાઇ છે.

MLA ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ રેલી કાઢી

ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીનો એક અનેરો ઇતિહાસ છે. પાઠ્યપુસ્તકોમાં પણ તેમનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. કન્યા કેળવણી અંગે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે, દેશના વડાપ્રધાન હોય તેઓ મહારાજા ભગવતસિંહનો ઉલ્લેખ કરી રહ્યા છે, તેમજ રાજ્ય વહિવટમાં પણ મહારાજાના શાસનકાળનું દ્રષ્ટાંત ગૌરવભેર આપવામાં આવતું હોય બીજી બાજુ ગત રાતે ગોંડલમાં નાઇટ કોમ્બીંગમાં આવેલા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ સિટી પોલીસમાં રહેલ મહારાજાની તસવીર હટાવી લેવા આદેશ કરતા શહેર તાલુકા રાજપૂત સમાજ, ક્ષત્રિય યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર એસ એસ, ઉપરાંત શહેરના વિવિધ જ્ઞાતિ મંડળ, સામાજીક મંડળો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની મીટિંગ નગરપાલિકા કચેરી ખાતે મળી હતી અને બાદમાં MLA ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ રેલી કાઢી પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા ને આવેદન પત્ર આપી 24 કલાકમાં જો બલરામ મીણા દ્વારા મહારાજાની તસવીર મૂળસ્થાને લગાવી ગોંડલની જનતા અને રાજવી પરિવારની માફી નહીં મગાઇ તો ગોંડલ બંધ સહિત આંદોલની શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચાવામાં આવી હતી.

રેલીમાં ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજી ઉપરાંત ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વિવિધ સંગઠનોના આગેવાનો, ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને આક્રોશ જતાવ્યો હતો. બનાવની જાણ શહેરમાં થતા લોકો પણ રોષે ભરાયા છે. ઈતિહાસમાં અમર બની ચૂકેલા ગોંડલના રાજવી સર ભગવતસિંહજીને લોકો અનહદ ચાહતા હોય, શહેરમાં જિલ્લા પોલીસવડાના વર્તન સામે આક્રોશ ફેલાતા ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here