Sunday, May 4, 2025
HomeGujaratAhmedabadઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

ઘીકાંટા વિસ્તાર મેટ્રોના ચાલી રહેલાં કામથી રાત્રિના સમયે ધ્રુજી રહ્યો છે

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો ઘીકાંટા વિસ્તાર આજે તેની અસલ
ઓળખ ગુમાવી બેઠો છે.પહેલાં આ વિસ્તારમાં આવેલી પોળોમાં કોમર્શિયલ બાંધકામો થયા અને
હવે મેટ્રો માટે ચાલી રહેલી કામગીરી આ માટે કારણભૂત હોવાનું સ્થાનિક રહીશોનું
માનવું છે.આ વિસ્તાર એની ઓળખ ગુમાવી બેઠો એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા જ
જવાબદાર હોવાનું સ્થાનિક રહીશો માની રહ્યા છે.

આ વિસ્તારમાં એક સમયે હેરિટેજ વેલ્યુ ધરાવતું જુની સિવિલ હોસ્પિટલ અને પાછળથી ઘીકાંટા કોર્ટ તરીકે જાણીતી બનેલી ઈમારત મેટ્રોના અંડરપાસ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં મશીનના સતત અવાજથી વાઈબ્રેશન આવતા હોઈ નજીકમાં આવેલા મયુરી ફલેટના રહીશો તો શાંતિથી સૂઈ પણ શકતા નથી.

શહેરના ઘીકાંટા વિસ્તાર એક સમયે આગવી ઓળખ ધરાવતો હતો.વિસ્તારમાં આવેલી અનેક પોળ કે જેમાં નવતાડની પોળ,નાની હમામ,મોટી હમામથી લઈઅનેક પોળોમાં ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો રહેતા હતા.આ એ વિસ્તાર છે કે,જયાં ગુજરાતી સાહીત્યના મોટા ગજાના લેખકો અને સાહીત્યકારો પણ અહીં આવેલી પોળમાં વસવાટ કરતા હતા.ઘીકાંટા ચારરસ્તાથી શરૃ થતા રોડ પર એક સમયે અનેક થિયેટરો પણ ચાલતા હતા.કાળક્રમે અમદાવાદ શહેરમાં અવારનવાર થતાં તોફાનોને ધ્યાનમાં લઈ એક પછી એક થિયેટર બંધ થયા અને એના સ્થાને કોમર્શિયલ બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા.છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોએ જો ધ્યાન આપ્યુ હોત તો આજે ઘીકાંટા વિસ્તાર જે તેની મૂળ ઓળખ ગુમાવી બેઠો છે આ સ્થિતિ સર્જાઈ ના હોત.એમ સ્થાનિક રહીશનું કહેવું છે.વિસ્તારને હજુ તો કોમર્શિયલ બાંધકામોની કળ વળી ના હતી. આટલું ઓછું હોય એમ જુની નોવેલ્ટી સિનેમાથી રામદેવપીર મંદિર તરફ જતો આખો રસ્તો જ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here