Sunday, February 2, 2025
HomeGujaratAhmedabadચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

ચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

Date:

spot_img

Related stories

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...
spot_img

ચાંગોદરમાં નીરવ કેમિકલ નામની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ

અમદાવાદ, તા.૨૪
શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. વિકરાળ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને આસપાસના ઇન્ડ્‌સ્ટ્રીયલ એકમોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ૧૦ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સૌકોઇએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નીરવ કેમીકલ નામની ફેક્ટરીમાં આજે કોઇક કારણસર રેઝીન કેમીકલનો જથ્થો હતો, તેમાં અચાનક આગ લાગી હતી. કેમીકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનો દસથી વધુ ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમયસર આગને કાબુમાં લઇ લીધી હતી. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ચાંગોદર એ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાં છાશવારે આવી આગની ઘટનાઓ બનતી રહે છે, જેથી કયારેક કોઇ મોટી દુર્ઘટના કે હોનારત ના સર્જાય તેની સતત દહેશત બની રહે છે તેવા સંજાગોમાં અગાઉ ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એસોસીએશન દ્વારા પણ સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને આ વિસ્તારમાં ખાસ ફાયરસ્ટેશન ઉભુ કરવા માંગણી કરેલી છે પરંતુ હજુ સુધી તેની પર કોઇ નિર્ણય લેવાયો નથી. સૌથી નોંધનીય વાત એ છે કે, ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એરિયામાં કોઇ એકમમાં આગ લાગે ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોને અમદાવાદના શહેરી વિસ્તારના ટ્રાફિકમાંથી નીકળીને ત્યાં પહોંચતા ઓછામાં ઓછી ૪૫ મિનિટ લાગે અને તેથી ત્યાં સુધી ઘણી વાર વાત કાબૂ બહાર જતી રહે તેવું પણ જાખમ બની રહે છે ત્યારે સત્તાવાળાઓએ એસોસીએશનની નવા ફાયરસ્ટેશનની દરખાસ્ત પરત્વે તાકીદે નિર્ણય લેવો જાઇએ તેવી પણ સ્થાનિક એકમોમાં આજે ભારે ચર્ચા ચાલી હતી.

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here