Sunday, April 20, 2025
HomeGujaratચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

jarat ST Dangerous Accident: એસટી અમારી સલામત સવારીના સ્લોગન સાથે ફરતી આ બસ કેટલી સલામત છે તેનો એક ભયાનક નમૂનો આજે વડોદરામાં જોવા મળ્યો હતો. ચાંદોદ – આણંદ વાયા સાધલી, કાયાવરોહણ,પોર, કીર્તિસ્તંભ, વડોદરા જતી ST બસનું ટાયર ચાલું બસમાં જ નીકળી ગયું. અચાનક ટાયર નીકળી જતાં મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પાસે એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલું બસમાં જ બસનું ટાયર નીકળી ગયું હતું. આ ઘટનાથી બસમાં બેઠેલાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયાં હતાં. જોકે, બસ ધીમી હોવાથી ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી બસને કાબૂમાં લઈ કોઈ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી. બસનું ટાયર અચાનક કેમ બહાર નીકળી ગયું તેની હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

મુસાફરોની સલામતીનું જવાબદાર કોણ?

ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, એસટીની સલામત સવારીના દાવા કેટલાં સાચાં? જો બસની સ્પીડ થોડી પણ વધારે હોત અને કોઈ મોટો અકસ્માત થાત તો તેની જવાબદારી કોણ લેત? આટલાં બધાં મુસાફરોની સલામતીની જવાબદારી કોની?

બસના સમારકામને લઈને મોટો પ્રશ્ન

આ ઘટનાથી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, વર્ષો જૂની બસ રસ્તા પર દોડાવાય છે, તો તેની યોગ્ય જાળવણી કેમ કરવામાં નથી આવી રહી? અને જો બસનું સમારકામ શક્ય નથી તો શું તંત્રને લોકોનો જીવ જોખમમાં મૂકવાનો અધિકાર કોણે આપ્યો.. આવી ઘટનાઓ અવાર-નવાર થતી હોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. જો કોઈ મોટી ઘટના બને તો સહાયની રકમ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ ખખડધજ થયેલી બસોના સમારકામ માટે ખર્ચો કરવામાં કેમ નથી આવતો. શું લોકોની જિંદગીનું કોઈ મૂલ્ય નથી?

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here