Thursday, July 16, 2026
HomeGujaratચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

jarat ST Dangerous Accident: એસટી અમારી સલામત સવારીના સ્લોગન સાથે ફરતી આ બસ કેટલી સલામત છે તેનો એક ભયાનક નમૂનો આજે વડોદરામાં જોવા મળ્યો હતો. ચાંદોદ – આણંદ વાયા સાધલી, કાયાવરોહણ,પોર, કીર્તિસ્તંભ, વડોદરા જતી ST બસનું ટાયર ચાલું બસમાં જ નીકળી ગયું. અચાનક ટાયર નીકળી જતાં મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પાસે એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલું બસમાં જ બસનું ટાયર નીકળી ગયું હતું. આ ઘટનાથી બસમાં બેઠેલાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયાં હતાં. જોકે, બસ ધીમી હોવાથી ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી બસને કાબૂમાં લઈ કોઈ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી. બસનું ટાયર અચાનક કેમ બહાર નીકળી ગયું તેની હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

મુસાફરોની સલામતીનું જવાબદાર કોણ?

ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, એસટીની સલામત સવારીના દાવા કેટલાં સાચાં? જો બસની સ્પીડ થોડી પણ વધારે હોત અને કોઈ મોટો અકસ્માત થાત તો તેની જવાબદારી કોણ લેત? આટલાં બધાં મુસાફરોની સલામતીની જવાબદારી કોની?

બસના સમારકામને લઈને મોટો પ્રશ્ન

આ ઘટનાથી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, વર્ષો જૂની બસ રસ્તા પર દોડાવાય છે, તો તેની યોગ્ય જાળવણી કેમ કરવામાં નથી આવી રહી? અને જો બસનું સમારકામ શક્ય નથી તો શું તંત્રને લોકોનો જીવ જોખમમાં મૂકવાનો અધિકાર કોણે આપ્યો.. આવી ઘટનાઓ અવાર-નવાર થતી હોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. જો કોઈ મોટી ઘટના બને તો સહાયની રકમ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ ખખડધજ થયેલી બસોના સમારકામ માટે ખર્ચો કરવામાં કેમ નથી આવતો. શું લોકોની જિંદગીનું કોઈ મૂલ્ય નથી?

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here