Wednesday, August 5, 2026
HomeGujaratચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

jarat ST Dangerous Accident: એસટી અમારી સલામત સવારીના સ્લોગન સાથે ફરતી આ બસ કેટલી સલામત છે તેનો એક ભયાનક નમૂનો આજે વડોદરામાં જોવા મળ્યો હતો. ચાંદોદ – આણંદ વાયા સાધલી, કાયાવરોહણ,પોર, કીર્તિસ્તંભ, વડોદરા જતી ST બસનું ટાયર ચાલું બસમાં જ નીકળી ગયું. અચાનક ટાયર નીકળી જતાં મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પાસે એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલું બસમાં જ બસનું ટાયર નીકળી ગયું હતું. આ ઘટનાથી બસમાં બેઠેલાં અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયાં હતાં. જોકે, બસ ધીમી હોવાથી ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી બસને કાબૂમાં લઈ કોઈ મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી. બસનું ટાયર અચાનક કેમ બહાર નીકળી ગયું તેની હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

મુસાફરોની સલામતીનું જવાબદાર કોણ?

ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, એસટીની સલામત સવારીના દાવા કેટલાં સાચાં? જો બસની સ્પીડ થોડી પણ વધારે હોત અને કોઈ મોટો અકસ્માત થાત તો તેની જવાબદારી કોણ લેત? આટલાં બધાં મુસાફરોની સલામતીની જવાબદારી કોની?

બસના સમારકામને લઈને મોટો પ્રશ્ન

આ ઘટનાથી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, વર્ષો જૂની બસ રસ્તા પર દોડાવાય છે, તો તેની યોગ્ય જાળવણી કેમ કરવામાં નથી આવી રહી? અને જો બસનું સમારકામ શક્ય નથી તો શું તંત્રને લોકોનો જીવ જોખમમાં મૂકવાનો અધિકાર કોણે આપ્યો.. આવી ઘટનાઓ અવાર-નવાર થતી હોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. જો કોઈ મોટી ઘટના બને તો સહાયની રકમ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ ખખડધજ થયેલી બસોના સમારકામ માટે ખર્ચો કરવામાં કેમ નથી આવતો. શું લોકોની જિંદગીનું કોઈ મૂલ્ય નથી?

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here