Wednesday, May 14, 2025
HomeAmreliજૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામમાં વીજતાર પર બેઠેલા શિકારને પકડવા જતા દીપડી...

જૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામમાં વીજતાર પર બેઠેલા શિકારને પકડવા જતા દીપડી પોતે જ ભડથું થઈ ગઈ

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

જૂનાગઢ : જૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામની સીમમાં એક દીપડી વીજતાર પર બેઠેલા મોરનો શિકાર કરવાનો પ્રયાસ કરવા જતાં વીજતારમાં અડી જતા ત્યાં ભડથું થઇ ગઇ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વનતંત્રએ ઘટના સ્થળે જઈ દીપડીના મૃતદેહ ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે.અવારનવાર વન્ય પ્રાણીઓ વીજ શોકના કારણે મોતને ભેટવાની ઘટનાઓ બની રહી છે, જેમાં શિકાર માટેનો પ્રયાસ કરવા જતા વન્ય પ્રાણીઓના મોત થયા હોય તેવી ઘટના પણ અગાઉ બની છે. જૂનાગઢ બિલખા રોડ પર ખડીયા ગામના ખેતરમાં ટ્રાન્સફોર્મરવાળા વીજ પોલ પર વહેલી સવારના દિપડી મૃત હાલતમાં તાર પર લટકતી હોવાની સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં વન વિભાગનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.જે વીજતાર પર દીપડી મૃત હાલતમાં લટકતી હતી તેની બાજુમાં જ ઘટાદાર વૃક્ષ આવેલું છે. વન તંત્રનું અનુમાન છે કે છુપાઈને વૃક્ષ પર ચડી ગયેલી દીપડીએ વીજ તાર પર બેઠેલા મોરનો શિકાર કરવા માટે વૃક્ષ પરથી છલાંગ મારી પરંતુ મોર ત્યાંથી ઉડી ગયો અને દિપડી વીજતારમાં ચોંટી ગઈ હશે. હાલ બનાવ સ્થળેથી માત્ર દીપડીનો જ મૃતદેહ મળ્યો છે.દીપડીના મૃતદેહને વીજતાર પરથી નીચે ઉતારી પીએમ માટે જૂનાગઢના સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. દીપડીના મોતનું કારણ વીજશોક હોવાનું રિપોર્ટમાં પણ સામે આવ્યું છે. ત્રણથી ચાર વર્ષની માદા દીપડીએ શિકાર માટેનો પ્રયાસ કરતા જીવ ગુમાવવાની ઘટના બનતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here