Sunday, April 20, 2025
HomeAmreliજૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ, ગિરનાર 154 કિ.મી.ની ઝડપે પવન સાથે...

જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ, ગિરનાર 154 કિ.મી.ની ઝડપે પવન સાથે 4 ઈંચ વરસાદ ખાબક્યો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. શહેર કરતા ગિરનાર પર નવ ગણી ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ પડતાં આજે ફરી કાળવા અને સોનરખ નદીમાં પાણી આવ્યું હતું. આ ઉપરાંત ભેંસાણ, જૂનાગઢ, વંથલી, માણાવદર પંથકમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગતરાત્રીથી પવનની ઝડપમાં વધારો થયો છે. આજે જૂનાગઢ શહેરમાં 16.8ની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે ગિરનાર પર્વત પર 154 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તેજ પવનના કારણે ગિરનાર પર વાવાઝોડા જેવી હાલત થઈ ગઈ હતી. ગિરનાર પર ભારે પવન સાથે ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. પવન અને વરસાદના લીધે ગિરનાર પર અંધારપટ છવાયો હતો. પગથિયાં પરની દુકાનોના પતરા, પ્લાસ્ટીક ઉડી ગયા હતા. વીજપોલ પડી જતા બે દિવસથી અંધારપટ છે. આજે દિવસ દરમ્યાન ગિરનાર પર યાત્રિકોની પાંખી હાજરી રહી હતી. આ વરસાદના લીધે આજે પણ કાળવા અને સોનરખ નદીમાં પાણી આવ્યું હતું.જ્યારે ભેસાણ પંથકમાં આજે પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. જ્યારે જૂનાગઢ શહેર, વંથલી અને માણાવદર પંથકમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેંદરડા, માળીયા હાટીના, વિસાવદર પંથકમાં દોઢ ઇંચ, કેશોદમાં એક ઇંચ, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત થઈ રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર હાલત થઈ છે ત્યારે લોકોમાં ચિંતા વ્યાપી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here