Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadભાજપના કોર્પોરેટરની મ્યુનિ.બોર્ડ બેઠકમાં જીભ લપસી, અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને...

ભાજપના કોર્પોરેટરની મ્યુનિ.બોર્ડ બેઠકમાં જીભ લપસી, અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને જયાં ફરવા જવું હોય ત્યાં જાય

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટરદશરથ પટેલની જીભ લપસી પડી હતી. શહેરમાં વરસાદે વેરેલી તારાજી ઉપર ચર્ચા કરવાના બદલે આ કોર્પોરેટરે અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને જયાં ફરવા જવુ હોય ત્યાં જાય એમ કહેતા વિપક્ષે આ બાબતનો ઉગ્ર વિરોધ કરતા મેયરે તેમને શાંત થવા કહયુ હતુ.થોડીવાર પછી ફરી ચર્ચા શરુ થતા મુળ વિષયને બાજુ ઉપર મુકી દેવામાં આવતા વિપક્ષના કોર્પોરેટરોએ બેઠકમાંથી વોકઆઉટ કરતા મેયરે બેઠક આટોપી લીધી હતી.શહેરમાં ત્રણ દિવસમાં દસ ઈંચ જેટલા પડેલા વરસાદને લઈ બુધવારે મળેલી મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહયુ, વીસ વર્ષથી ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને છે.આમ છતાં શહેરમાં ભારે વરસાદની સ્થિતિમાં ઝડપથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારેની નકકર કામગીરી કરવામાં સત્તધારી પક્ષ સદંતર નિષ્ફળ રહયો છે. તમારા બાપુનગરના ધારાસભ્યને વરસાદી પાણીનો નિકાલ નહીં થવા બાબતમાં લોકોની માફી માંગવી પડે એ બાબત જ સત્તાધારી પક્ષની નિષ્ફળતા બતાવે છે. વરસાદ બંધ થયા પછી શહેરના મેયર કોર્પોરેટરો અને ધારાસભ્યોની બેઠક બોલાવો એમા પણ કોંગ્રેસના કોર્પોરેટરો અને ધારાસભ્યોને ના બોલાવો. આ મ્યુનિ.કોર્પોરેશન અને શહેરની બેઠક હતી.તમારા પક્ષની બેઠક હોય તો કમલમમા બોલાવો અમે કયાં ના પાડીએ છીએ. અમદાવાદમાં સમયસર વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકવાની બાબતમાં વિજિલન્સ તપાસ કરાવવા ઉપરાંત શહેરની પરિસ્થિતિ સંદર્ભમાં શ્વેતપત્ર બહાર પાડવાની વિપક્ષ તરફથી માંગ કરવામાં આવી હતી.રાણીપના કોર્પોરેટર દશરથ પટેલને અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભા જૈને બોલવા ઉભા કરતા તેમણે બફાટ શરુ કર્યો હતો.રાણીપના કોર્પોરેટરે કહયુ,કોંગ્રેસના શાસનમાં તો ફરવા માટે માત્ર એક લો-ગાર્ડન હતો.ભાજપના શાસનમાં ૨૯૩ બગીચા છે.આપણે મળવુ હોય તે બગીચામાં મળી શકાય.શહેરમાં ઘણાં બગીચા હોવાથી લોકોને જયાં ફરવા જવુ હોય ત્યાં જાય.આ એક નિવેદન ઉપર મ્યુનિ.બોર્ડ બેઠક વિપક્ષના હોબાળા બાદ મુલ્તવી રાખવી પડી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here