Monday, March 9, 2026
HomeIndiaઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટના, પાટા પરથી બે ડબા ખડી પડ્યાં

ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટના, પાટા પરથી બે ડબા ખડી પડ્યાં

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટનાના કારણે અપ-ડાઉનની લગભગ ડઝન ટ્રેનોની કામગીરી ખોરવાઈ ગઈ છે. વંદે ભારત ટ્રેનને પણ રોકવામાં આવી છે. દેશના કોઈને કોઈ રાજ્યમાં એક બાદ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવતાં જઈ રહ્યાં છે. હવે ઝારખંડના બોકારો શહેરમાં માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યાં છે. આ માલગાડી તુપકાડીહ રેલવે સ્ટેશન નજીક ડીરેલ થઈ છે. ઘટનાના કારણે બોકારો ગોમો રેલવે રુટ પર રેલવે પરિવહન ખોરવાઈ ગયુ છે.

વંદે ભારત ટ્રેનને પણ રોકવામાં આવી :

બોકારો શહેરમાં માલગાડીની દુર્ઘટનાના કારણે અપ-ડાઉનની લગભડ ડઝન ટ્રેનોની કામગીરી ખોરવાઈ ગઈ છે. વારાણસીથી રાંચી જતી વંદે ભારત ટ્રેનને પણ ચંદરપુરા રેલવે સ્ટેશન પર રોકી દેવાઈ છે. જે સ્થળે દુર્ઘટના થઈ ત્યાં ઘટના સ્થળે રાહત કાર્ય ચાલુ છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.દેશના વિભિન્ન ભાગોમાં વધતી ટ્રેન દુર્ઘટનાની ઘટનાઓને રોકવા માટે રેલવેએ નવી પહેલ શરૂ કરી છે. રેલવેએ પહેલી વખત રેલવે ગાર્ડની રચના કરી છે. એક પાયલટ પ્રોજેક્ટના ભાગ તરીકે ભારતીય રેલવેએ ઉત્તર પશ્ચિમ રેલવે (એનડબ્લ્યૂઆર) વિસ્તારમાં આ પહેલ શરૂ કરી છે. રેલવે ગાર્ડ તાત્કાલિક દુર્ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય કરવામાં સક્ષમ છે.રેલવે મંત્રીએ આ જવાબદારી ઉત્તર પશ્ચિમી રેલવેને આપી છે અને RPF અને મિકેનિકલ ટીમને 4 અઠવાડિયાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. અમારી ટીમ રેલ સંરક્ષણ ટીમ ઓછા સમયમાં દુર્ઘટના સ્થળ પર પહોંચશે. આ એક ખૂબ જ ઐતિહાસિક પહેલ છે. ભારતીય રેલવેએ ગાંધીનગર રેલવે સ્ટેશન પર રેલવે સંરક્ષણ ટીમ અને સાધનો સ્થાપિત કર્યા છે.બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘હું તે લોકોને સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે જે ડિરેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તે રેલવેનું રાજનીતિકરણ કરવાનો પ્રયત્ન ન કરે. તેમના વિરુદ્ધ રાજ્ય પોલીસ અને NIA ના સહયોગથી કડક કાર્યવાહી કરવામાં આવશે.’

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here