Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadતહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

તહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે. છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.આજના બજાર ભાવ પ્રમાણે 70 રૂપિયાના વધારા સાથે સીંગતેલના તેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા થયો છે. આ સાથે જ 60 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ 1740 થયો છે.

એક તરફ તહેવારોની સિઝન છે. વળી, બીજી બાજુ નાની-મોટી ખાદ્ય સામગ્રી સાથે તેલનાં ભાવમાં આટલાં મોટાં વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. છેલ્લાં છ મહિનામાં તેલના ભાવમાં થયલો વધારો નીચે મુજબ છે.સારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here