Sunday, June 8, 2025
HomeIndiaદહેજના કેસમાં સુપ્રીમ પણ ચોંકી,લગ્ન એક દિવસ પણ ન ચાલ્યાં, ઉપરથી 50...

દહેજના કેસમાં સુપ્રીમ પણ ચોંકી,લગ્ન એક દિવસ પણ ન ચાલ્યાં, ઉપરથી 50 લાખ આપવા પડ્યા

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થાય છે’. સુપ્રીમ કોર્ટે બુધવારે આ વાત કહી છે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે વૈવાહિક કેસમાં વિવાદની સુનાવણી કરતા આ વાત કહી હતી. જસ્ટિસ ગવઈએ ગુજરાન ભથ્થુંના મુદ્દા પર સુનાવણી કરતા કહ્યું કે આવા કેસમાં સૌથી સારી બાબત એ જ છે કે આઝાદી મળે. પોતાની આ ટિપ્પણી પર વિસ્તાર આપતા જસ્ટિસ ગવઈએ એક કેસને પણ યાદ કર્યો.તેમણે કહ્યું કે, એક એવો પણ કેસ આવ્યો હતો કે જેમાં પતિ તેની પત્ની સાથે એક દિવસ પણ ન હોતો રહ્યો. પરંતુ જ્યારે તેઓ અલગ થયા ત્યારે તેણે તેની પત્નીને 50 લાખ રૂપિયા આપવા પડ્યા. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, મેં નાગપુરમાં એક એવો કેસ જોયો હતો. તે કેસમાં યુવક અમેરિકા જઈને સ્થાયી થયો હતો. તેમના લગ્ન એક દિવસ પણ નહોતા ચાલ્યા પરંતુ પત્નીને કેસ ચાલવાના કારણે 50 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. હું ખુલ્લેઆમ કહું છું કે ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન સંબંધિત કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થાય છે. કદાચ તમે લોકો મારી સાથે સહમત થશો.સેક્શન 498Aને લઈને ઘણા સમયથી ચર્ચા રહી છે. આ કાયદાના ટીકાકારો કહેતા આવ્યા છે કે ઘણીવાર મહિલાના પરિવારજનો આ કાયદાનો દુરુપયોગ કરે છે. સબંધ ખરાબ થતાં પતિ અને તેના પરિવારને ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. ઘણી વખત ખોટા કેસ દાખલ કરાવવામાં આવે છે અને બાદમાં સમાધાન કરવામાં આવે છે. આ બાબતોને લઈને અદાલતો પણ સવાલો ઉઠાવી રહી છે. ગત વર્ષે સેક્શન 498A અંગે નોંધાયેલા એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરી હતી. કોર્ટેનું કહેવું હતું કે, આખરે આ કેસમાં પતિના દાદા-દાદી અને ઘરમાં બીમાર પડેલા પરિવારના સભ્યોને પણ આ કેસમાં કેમ ઢસેડવામાં આવ્યા.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here