Thursday, March 13, 2025
HomeIndiaદેશભરમાં યુપી-બિહાર સહિત વરસાદ-પૂરથી હાહાકાર,300 ગામ ડૂબ્યાં, 274થી વધુ સ્કૂલો બંધ,

દેશભરમાં યુપી-બિહાર સહિત વરસાદ-પૂરથી હાહાકાર,300 ગામ ડૂબ્યાં, 274થી વધુ સ્કૂલો બંધ,

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 274 સ્કૂલો બંધ કરવામાં આવી છે. જયારે 20 સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. આથી બુધવારથી શરુ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. ત્યારે યુપીના 24 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. યુપીમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના 35 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ અયોધ્યામાં સરયૂ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. યુપીના લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

હિમાચલમાં વરસાદને કારણે 50 રસ્તાઓ બંધ :
હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે બુધવારે 50 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો છે. હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 172 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો હજુ પણ લાપતા છે. ઝારખંડ અને બંગાળના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. જયારે ઓડિશાના 250 ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીંના બેરેજ અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. દામોદર વેલી કોર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આગામી 2-3 દિવસ સુધી સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે.

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here