Sunday, February 23, 2025
HomeSportsCricketનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

ICC WC Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

ક્રિકેટ રસિકો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, અમદાવાદમાં તૈયાર થયેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ. સૂત્રોની માનીએ તો ઉચ્ચસ્તરેથી આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે. જેને પગલે અત્યારથી આ અંગે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ:
સૂત્રોની માનીએ તો પીએમ મોદી પોતે ગુજરાતમાં વધુને વધુ ક્રિકેટ મેચ રમાય અને જેને પગલે સ્થાનિક કક્ષાએ ખેલ-કૂદને પ્રોત્સાહન મળે નવા યુવાઓને પ્રેરણા મળે તે માટે સતત પ્રયાસ કરતા રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં આ સ્ટેડિયમ ખાતે મેચના આયોજનથી સ્થાનિકોને રોજગારની તક પણ ઉપલબ્ધ થાય છે. તેથી આ પ્રકારના આયોજનનોને સરકાર ખુબ જ ગંભીરતાથી લઈ રહી છે. જેને પગલે ક્રિકેટ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં રમાશે. ખાસ કરીને વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં યોજાશે તેવું હાલ એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છેકે, એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છેકે, આગામી 5 ઓક્ટો.થી 19 નવે. સુધી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલશે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં આઇસીસી વન ડેની ફાઈનલનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ સહિત દેશના 11 શહેરોમાં વર્લ્ડ કપના કુલ 48 મુકાબલા ખેલાશે. તેનું અત્યારથી જ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઇ ૯૬૩ કરોડનો ટેક્સ ચૂકવે તેવી શક્યતા છે. રિપોર્ટમાં કરાયેલાં દાવા મુજબ ચાલુ વર્ષે બીસીસીઆઈ એટલેકે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા આ વખતે આઈસીસી વન ડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્લ્ડકપમાં વિશ્વની ટોચની 10 ટીમો ભાગ લેશે.

ક્રિકેટ વર્લ્ડ કપ માટે કરાઈ ભારતના 11 શહેરોની પસંદગીઃ
રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઇએ વર્લ્ડકપના યજમાન તરીકે જે ૧૧ શહેરોના શોર્ટલીસ્ટ કર્યા છે, જેમાં બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધરમશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે, બીસીસીઆઇએ હજુ આઇસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કરી નથી.

ક્યાંથી મળશે ક્રિકેટ મેચની ટિકિટ?
આઈસીસી દ્વારા હજુ સુધી મેચને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, સામાન્ય રીતે મીડિયા રિપોર્ટમાં જે પણ વાતો કહેવામાં આવી છે જો તે સાચી ઠરે તો મેચની જાહેરાત બાદ ઓનલાઈન ટિકિટોનું વિતરણ થઈ શકે છે. જેથી તમારે નક્કી કરાયેલી વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની હોય છે. સત્તાવાર જાહેરાત બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.

ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છેકે, આ ક્રિકેટ વર્લ્ડ કપથી આઇસીસીને બ્રોડકાસ્ટીંગ રાઈટ્સથી તગડી આવક થશે. જેના પર ભારત સરકાર આશરે 963 કરોડનો ટેક્સ લગાવશે. આ ટેક્સ પણ બીસીસીઆઈ ચુકવશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here