Monday, February 24, 2025
HomeGujaratAhmedabadનર્મદા નદીથી ભાઇ-બહેનના મૃતદેહ મળતાં ભારે ચકચાર

નર્મદા નદીથી ભાઇ-બહેનના મૃતદેહ મળતાં ભારે ચકચાર

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

ભાઇ-બહેન વલસાડના અબ્રાનાના રહેવાસી હોવાનું ખુલ્યુ ઘરે પણ સ્યુસાઈડ નોટની એક કોપી મૂકીને આવ્યા હતા

અમદાવાદ, તા.૨૨
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના નીલકંઠેશ્વર ઘાટ પરથી વલસાડ જીલ્લાના અબ્રામાની સુંદરવન સોસાયટીના રહેવાસી ભાઇ અને બહેનના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંનેના મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, અમે લોકો રાજીખુશીથી અમારૂ જીવન ટુંકાવીએ છીએ. એમા કોઇનો વાક નથી અને નીચે ત્રણ લોકોની સહી છે. જેથી પોલીસે ભાઇ-બહેનની માતાની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના ધરમપુર રોડ પર આવેલા અબ્રામાની સુંદરવન સોસાયટીમાં રહેતી મહિલા રંજન દોલતરાય સાગર, તેમની પુત્રી મૌશમી(૪૧) અને પુત્ર રામકુમારે(૨૫) ભરૂચ સ્થિચ નર્મદા નદીના નિલકાંઠેશ્વર ઘાટ પર આવીને આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે સ્થાનિક ફાયરબ્રિગેડના જવાનોની મદદથી શોધખોળ અને તપાસ કરાવતાં સવારે મંદિરે અને નર્મદા નદીના દર્શનાર્થે આવતા લોકો મારફતે ભાઇ-બહેનના મૃતદેહ ઘાટ પાસે જોયા હતા. જેથી ભરૂચ સી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો અને તેમના વાલી વારસની શોધખોળ આદરી છે.
પોલીસને તેમના પાકિટમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ત્રણ લોકોના નામ અને સહી હતી. જેથી બંને ભાઇ-બહેનની માતા રંજન દોલતરાય સાગરની શોધખોળ કરી રહી છે કે માતાએ પણ આ ભાઇ-બહેન સાથે આત્મહત્યા કરી હોઇ શકે. જા કે, હજુ સુધી પોલીસને માતાની કોઇ ભાળ હાથ લાગી નથી. પોલીસે કયા કારણસર આ પરિવારના સભ્યોએ આત્મહત્યા કરવાનું પગલું લીધુ તે મુદ્દે પણ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here