Friday, February 7, 2025
HomeEntertainmentBollywoodનવરાત્રીને લઇને કડક નિયમઃ પાર્કિંગ-ફાયર સેફ્ટી નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં

નવરાત્રીને લઇને કડક નિયમઃ પાર્કિંગ-ફાયર સેફ્ટી નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં

Date:

spot_img

Related stories

હોપ ઓન વ્હીલ્સઃ કર્મા ફાઉન્ડેશને વંચિત લોકો માટે ફૂડ...

કર્મા ફાઉન્ડેશને અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકો અને ગરીબ લોકોને વિનામૂલ્યે...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) અમદાવાદ માત્ર 3 દિવસમાં 8...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) - ભારતનું અગ્રણી ટ્રાવેલ અને...

મહાકુંભમાં CM ભૂપેન્દ્ર પટેલે અમૃત સ્નાન કર્યું:બડે હનુમાન મંદિરમાં...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં...

અપાર કાર્ડ અમલ માટે અમદાવાદ ની આઈ પી મિશન...

અમદાવાદમાં અપાર (ઓટોમેટેડ પર્મેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) કાર્યક્રમ ના...

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે ;...

બુધ્ધપુરુષ વધારે બોલતો નથી. કોઈના શરણે જવું એ દાસત્વ...

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ...

સમસ્ત મહાજન દ્વારા દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોને મુસીબતમાં...
spot_img

નવરાત્રીમાં કરાશે નિયમોનું કડક પાલન

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજન મામલે પોલીસ કડક હાથે કામ લેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિયમોનું કડક પણ પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત જેવી ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમ સતત તૈનાત રહેશે. આ સાથે જ પાર્કિંગ સલામતી મામલે પણ પોલીસ સખત રહેશે. પાર્કિંગ સાથે CCTVની સુવિધા રાખવા સૂચન કરાયું છે.

નવરાત્રીને લઇને આયોજકોનો મોળો પ્રતિસાદ

નવરાત્રીને માત્ર એક જ સપ્તાહ બાકી છે તેમ છતાં આયોજકોનો મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં હજુ સુધી 30 ગરબા આયોજકોએ જ મંજૂરી માંગી છે. જયારે સુરતમાં 12 અને વડોદરામાં 4 ગરબા આયોજકોએ ગરબા માટે મંજૂરી માગી છે.

ટ્રાફિક નિયમનું કરાશે કડક પાલન

ટ્રાફિક નિયમોથી લઈને સુરક્ષાના નિયમો મામલે આ વખતે પોલીસ કડક વલણ અપનાવશે. સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં CCTV રાખવા પડશે. આ સાથે અમદાવાદમાં પાર્કિંગમાં CCTV ફરજિયાત રાખવા પડશે. જો વાહનો જેમ તેમ પાર્ક કરેલા હશે તો ગરબા સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે જ વાહન ચાલકોએ હેલમેટ ફરજિયાત પહેરવું પડશે. આયોજકોએ સિક્યુરીટી ગાર્ડ પણ ફરજિયાત રાખવા પડશે. તેની સાથે જ ગરબા આયોજકોએ ઈમરજન્સી એકઝીટ પણ રાખવું પડશે.

નવરાત્રિને લઇ સુરત પોલીસ અને ફાયર વિભાગનું સૂચન

નવરાત્રીને લઇને સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સૂચન અપાયા છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. પાર્કિંગ અને ફાયર સેફ્ટી નહીં હોય તેવા ગરબાની મંજૂરી નહીં મળે. ફાયર NOC ફક્ત 12 આયોજકોએ માગી હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગ સાથે CCTVની સુવિધા રાખવા સૂચન કરાયું છે. ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ઇમરજન્સી સેવા રાખવા સૂચના અપાઇ છે.

હોપ ઓન વ્હીલ્સઃ કર્મા ફાઉન્ડેશને વંચિત લોકો માટે ફૂડ...

કર્મા ફાઉન્ડેશને અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકો અને ગરીબ લોકોને વિનામૂલ્યે...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) અમદાવાદ માત્ર 3 દિવસમાં 8...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) - ભારતનું અગ્રણી ટ્રાવેલ અને...

મહાકુંભમાં CM ભૂપેન્દ્ર પટેલે અમૃત સ્નાન કર્યું:બડે હનુમાન મંદિરમાં...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં...

અપાર કાર્ડ અમલ માટે અમદાવાદ ની આઈ પી મિશન...

અમદાવાદમાં અપાર (ઓટોમેટેડ પર્મેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) કાર્યક્રમ ના...

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે ;...

બુધ્ધપુરુષ વધારે બોલતો નથી. કોઈના શરણે જવું એ દાસત્વ...

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ...

સમસ્ત મહાજન દ્વારા દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોને મુસીબતમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here