Wednesday, August 19, 2026
HomeGujaratAhmedabadપાવાગઢમાં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

પાવાગઢમાં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના જવાનોને કાયમી બંદોબસ્ત માટે મૂક્યા હતા. તેમની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની પાવાગઢની તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે યાત્રિકે જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાવાગઢ પોલીસે પીઆઈની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મોત પાછળનું કારણ હજૂ અકબંધ રહ્યું છે. નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના 22 પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે. આ જવાનો જૂદા જૂદા પોઈન્ટ ઉપર ફરજ બજાવે છે. આ પોઈન્ટ પરની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે. તેવામાં ગત બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈ જી. આર. પટેલ પાવાગઢ આવ્યા હતા. જેથી તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પાવાગઢમાં ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢની તળેટીમાં આવેલા શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં કરી હતી.

પીઆઈ સાંજે રૂમ પર પહોંચ્યા હતા. બાદમાં રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. બાદમાં સાથી જવાનો તેમના રૂમ પર જતા રહ્યા હતા. તેવામાં ગુરુવારે વહેલી નડિયાદથી આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન ઉપર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું.જેથી યાત્રિકે આ અંગે ધર્મશાળાના વહીવટકર્તાને જાણ કરી હતી. આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનોને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ રાત્રે સાથી કર્મચારી રૂમ પરથી ગયા પછી શું ઘટના બની, પીઆઈનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. રૂમમાંથી સાથી કર્મચારીએ આપેલું ટીફીન તથા પ્લાસ્ટિકની થેલીમાંથી ફ્રુટ અને પાણીની બોટલ મળી હતી. પોલીસે મોત પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here