Friday, June 5, 2026
HomeGujaratAhmedabadપાવાગઢમાં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

પાવાગઢમાં તહેનાત SRP ગ્રૂપના જવાનોનું નિરીક્ષણ કરવા ગયેલા PIનું રહસ્યમય સંજોગોમાં મોત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પંચમહાલના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના જવાનોને કાયમી બંદોબસ્ત માટે મૂક્યા હતા. તેમની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની પાવાગઢની તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે યાત્રિકે જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાવાગઢ પોલીસે પીઆઈની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મોત પાછળનું કારણ હજૂ અકબંધ રહ્યું છે. નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના 22 પોલીસ જવાનોને પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે મૂક્યા છે. આ જવાનો જૂદા જૂદા પોઈન્ટ ઉપર ફરજ બજાવે છે. આ પોઈન્ટ પરની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે. તેવામાં ગત બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈ જી. આર. પટેલ પાવાગઢ આવ્યા હતા. જેથી તેમના રાત્રી રોકાણની વ્યવસ્થા પાવાગઢમાં ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢની તળેટીમાં આવેલા શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં કરી હતી.

પીઆઈ સાંજે રૂમ પર પહોંચ્યા હતા. બાદમાં રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. બાદમાં સાથી જવાનો તેમના રૂમ પર જતા રહ્યા હતા. તેવામાં ગુરુવારે વહેલી નડિયાદથી આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન ઉપર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું.જેથી યાત્રિકે આ અંગે ધર્મશાળાના વહીવટકર્તાને જાણ કરી હતી. આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનોને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ રાત્રે સાથી કર્મચારી રૂમ પરથી ગયા પછી શું ઘટના બની, પીઆઈનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. રૂમમાંથી સાથી કર્મચારીએ આપેલું ટીફીન તથા પ્લાસ્ટિકની થેલીમાંથી ફ્રુટ અને પાણીની બોટલ મળી હતી. પોલીસે મોત પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here