Thursday, August 13, 2026
HomePoliticsરાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યો

Date:

Related stories

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યો

આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા

અદાલતમાં હરાવવા પડશે.હાઇકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું?-ગોપાલ ઈટાલીયા

રાજપીપળા, તા 3

આજે રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યોહતો અને જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યોછે.આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા

ગઈકાલે હાઇકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં.
સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો છે.ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં પુરનારા લોકોના નામ સરકારી વકીલના મોઢેથી નીકળ્યા છે.

ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે સુખવંતીબેનની સુચના હર્ષ સંઘવીએ આપી, તો બીજા નિર્દોષ ખેડૂતોની બાબતમાં સૂચના કેમ ન આપી?એક વ્યક્તિ નહીં પરંતુ બધા જ આરોપી નિર્દોષ છે, આખો કેસ ખોટો છે.બંધારણ પ્રમાણે ચૂંટણી જીતેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા માણસને સીધી સૂચના આપી શકતો નથી.સરકાર કાયદા વિભાગની સૂચના આપે, કાયદા વિભાગ સચિવને જાણ કરે, સચિવ સેક્શન ઓફિસરને જાણ કરે અને ત્યારબાદ સેક્શન ઓફિસર સરકારી વકીલને સૂચના આપી શકે.શરૂઆતથી જ કહીએ છીએ કે ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે.ચૈતરભાઈ પક્ષપલટો કરવામાં માન્યા નહીં એટલા માટે તેમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી.

નર્મદા જિલ્લા પંચાયતના પરિણામ બાદ ભાજપને લાગ્યું કે ચૂંટણીમાં ચૈતર વસાવાને હરાવી શકાય એમ નથી માટે તેમને અદાલતમાં હરાવવા પડશે.હાઇકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું?એવા સવાલો પણ ઉઠાવ્યા હતાં

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here