Monday, August 3, 2026
HomePoliticsચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી

Date:

Related stories

Zigly Pet કેરે અમદાવાદમાં ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડેની ત્રીજી...

સંપૂર્ણ ભારતમાં પેટ્સની પ્રોએક્ટિવ હેલ્થકેર સુધીની પહોંચને મજબૂત કરી...

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ.જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં...

લેખક :દીપક જગતાપ 3 ઓગસ્ટ :હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે(હૃદય પ્રત્યારોપણ દિવસ) ભારતમાં...

10 કિમી વ્યાસ ધરાવતો અને સૂર્યની આસપાસ દર 5.4...

લેખક :દીપક જગતાપ 10 કિમી વ્યાસ ધરાવતો અનેસૂર્યની આસપાસ દર...

Q2 માં સોનાના ભાવની તેજી ધીમી પડી હોવા છતાં...

India 2026 - વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના Q2 2026 ના...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સાત વર્ષની જેલની સજાના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, જળ, જમીન અને જંગલના હકો માટે લડનારા ચૈતર વસાવાને ભાજપે કથિત ષડયંત્રપૂર્વક સજા અપાવી છે. આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે કરવામાં આવી છે.આદિવાસી સમાજ માટે લડવું એ જ શું ગુનો છે?

વિસાવદરના ધારાસભ્ય સહિતના આપ નેતાઓએ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા પર સરકારી કર્મચારી સાથે કથિત દુર્વ્યવહારનો આક્ષેપ છે, પરંતુ શું આવા કેસમાં કોઈને સાત વર્ષની સજા થતી હોય? તેમણે દાવો કર્યો કે વાસ્તવિકતા એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી ભાઈઓના એસટી પ્રમાણપત્રના પ્રશ્ને, વિવિધ પ્રોજેક્ટોના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના હક અપાવવા, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીનના અધિકારો માટે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડતા રહ્યા છે. આ જ કારણે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી અને સરકારી વકીલોના માધ્યમથી તંત્રનો દુરુપયોગ કરીને આ સજા કરાવાઈ છે.ઝડપી ચુકાદા સામે ઉઠાવ્યા સવાલ, આદિવાસી યુવાનોને એક થવા અપીલ

આ કેસની કાનૂની પ્રક્રિયાની ગતિ પર આંગળી ચીંધતા દાવો કર્યો કે, જેટલો ફાસ્ટ ટ્રેક કોર્ટનો ઝડપી ચુકાદો આવતો નથી તેટલી ઝડપે ચૈતર વસાવાના કેસમાં ચુકાદો આપી દેવાયો છે, જે અનેક શંકાઓ પેદા કરે છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને એકજૂટ થવા અપીલ કરે છે. હવે આ કેસ જનતાની અદાલતમાં ચાલશે. ભાજપ દ્વારા કરાયેલા કથિત દગા અને અન્યાયનો જવાબ આપવા માટે આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીને મત આપવાનો સંકલ્પ કરે. આ સંઘર્ષ અહીં અટકશે નહીં અને આમ આદમી પાર્ટી હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, વિધાનસભા અને રસ્તા પર ઉતરીને દરેક મંચ પર ન્યાય માટે આ લડત ચાલુ રાખશે.

Zigly Pet કેરે અમદાવાદમાં ઈન્ટરનેશનલ હેપ્પી પેટ્સ ડેની ત્રીજી...

સંપૂર્ણ ભારતમાં પેટ્સની પ્રોએક્ટિવ હેલ્થકેર સુધીની પહોંચને મજબૂત કરી...

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ.જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં...

લેખક :દીપક જગતાપ 3 ઓગસ્ટ :હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે(હૃદય પ્રત્યારોપણ દિવસ) ભારતમાં...

10 કિમી વ્યાસ ધરાવતો અને સૂર્યની આસપાસ દર 5.4...

લેખક :દીપક જગતાપ 10 કિમી વ્યાસ ધરાવતો અનેસૂર્યની આસપાસ દર...

Q2 માં સોનાના ભાવની તેજી ધીમી પડી હોવા છતાં...

India 2026 - વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના Q2 2026 ના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here