Saturday, April 19, 2025
Homenationalપેન્શન યોજનામાં ખેડૂતોનો ઓછો રસ, એક મહિનામાં માત્ર 8.36 લાખ ખેડૂતોએ નોંધણી...

પેન્શન યોજનામાં ખેડૂતોનો ઓછો રસ, એક મહિનામાં માત્ર 8.36 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(પી-એમ કિસાન પેન્શન) યોજનામાં ખેડૂતો ઓછો રસ દાખવી રહ્યા છે. આ યોજના શરૂ થયાના એક મહિના કરતાં વધારાનો સમય વીતી ગયો હોવા છતાં પણ આ યોજનામાં દેશભરના માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં ૫ કરોડ નાના અને સીમાંત ખેડૂતો(બે હેકટર ધરાવતા) ખેડૂતોને સમાવવાનું લક્ષ્‍ય છે.

વડા પ્રધાન મોદી ૧૨ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે રાંચીથી આ યોજનાની યોગ્ય રજૂઆત કરશે, જોકે ૯ ઓગસ્ટના રોજથી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે આ યોજનાની શરૂ કરતા નોંધણીની પ્રક્રિયાની પણ શરૂઆત કરી હતી.

કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક રાજ્ય સરકારને આ યોજના હેઠળ વધુને વધું ખેડૂતોને ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો આ યોજનામાં ઓછો રસ લઈ રહ્યા છે. અધિકારીએ વધુમાં જણાવતાં કહ્યું કે, રાજ્યોમાં પણ પીએમ-કિસાન યોજનાને જોડવા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.

CSC કેન્દ્રો દેશના લગભગ બે લાખ ગામોમાં છે

પીએમ-કિસાન પેન્શન યોજના હેઠળ નોંધણીનું કામ માહિતી મંત્રાલયના કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશના લગભગ બે લાખ ગામોમાં સીએસસી કેન્દ્રો છે અને તમામ કેન્દ્રોને અગ્રતાના આધાર પર ખેડૂતોની નોંધણી પૂર્ણ કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.

નોંધણી કરવામાં મુશ્કેલી

ખેડૂતોના ઓછા રસને કારણે આ યોજનામાં અત્યાર સુધીમાં માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ખેડૂતોને નોંધણી કરવામાં સમસ્યા ઊભી થઈ છે, કારણ કે જમીન પરિવારના મુખ્યના નામે હોય છે અને સામાન્ય રીતે આ મુખ્યના મૃત્યું પછી જ જમીન તેના બાળકોના નામે ફાળવવામાં આવે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here