Thursday, May 1, 2025
HomeGujaratAhmedabadભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. આ મેળામાં દૂર દૂરથી આવતા લાખોમાં ભક્તો માટે માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનથાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે 10,000થી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે. જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે.તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં 30 લાખની કિંમતનો મોહનથાળ પડયો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બીલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનાર સમય બતાવશે. ભાદરવી પૂનમ અગાઉ મોહનતાની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આશ્વર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીને બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવ્યો હતો. અબાજીમાં ભાદરવી પૂનમનો મેળા સમાપન થતાં 10,000 થી વધુ કિલોનો મોહનથાળનો પ્રસાદ પડી રહ્યો છે. મંદિરના વહીવટદાર કહે છે કે હું આ જાણતો જ નથી. એજન્સીના જવાબદાર અધિકારી કહે છે કે અમને મંદિરે કીધું તે પ્રમાણે અમે પ્રસાદ બનાવ્યો છે. વધારાનો પ્રસાદ બનાવવમાં છે તેના રૂપિયા મંદિર દ્વારા ચૂકવવામાં આવશે. શું એજન્સીના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી આવા અનેક સવાલો માઈ ભક્તોમાંથી ઉઠવા પામ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વારંવાર આ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટર કેમ આપવામાં આવે છે આના ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વધારાનો પ્રસાદનું બિલ પણ ન ચૂકવવું જોઈએ તેવી માંગ ભક્તોમાં ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મેળાના 7 દિવસ દરમિયાન 19 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ વર્ષે અંદાજીત 32.54 લાખ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે 1 બોક્સમાં 100 ગ્રામ લેખે 7 દિવસમાં 2 લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે. જેની સામે ફીક્કી પડેલી ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા હતા.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here