Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત ખોટું પડ્યું

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. આ મેળામાં દૂર દૂરથી આવતા લાખોમાં ભક્તો માટે માતાજીના પ્રસાદ તરીકે વપરાતા મોહનથાળનો પ્રસાદ એજન્સીને બનાવવા આપ્યો હતો. યોગ્ય આયોજનના અભાવે 10,000થી વધુ કિલોનો મોહનથાળ પ્રસાદ પડી રહ્યો છે. જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયાથી વધુ થવા જાય છે.તાજેતરમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં રાજકીય નેતાઓના જમણવારના ખર્ચનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં 30 લાખની કિંમતનો મોહનથાળ પડયો રહેતા મંદિર ટ્રસ્ટમાંથી એજન્સીને બીલનું ચૂકવણું કરવામાં આવશે કે કેમ તે આવનાર સમય બતાવશે. ભાદરવી પૂનમ અગાઉ મોહનતાની પ્રસાદી બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આશ્વર્યની વાત એ છે કે ભાવોને નહીં ખોલીને આ એજન્સીને બારોબાર ભાદરવી પૂનમ માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવ્યો હતો. અબાજીમાં ભાદરવી પૂનમનો મેળા સમાપન થતાં 10,000 થી વધુ કિલોનો મોહનથાળનો પ્રસાદ પડી રહ્યો છે. મંદિરના વહીવટદાર કહે છે કે હું આ જાણતો જ નથી. એજન્સીના જવાબદાર અધિકારી કહે છે કે અમને મંદિરે કીધું તે પ્રમાણે અમે પ્રસાદ બનાવ્યો છે. વધારાનો પ્રસાદ બનાવવમાં છે તેના રૂપિયા મંદિર દ્વારા ચૂકવવામાં આવશે. શું એજન્સીના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી આવા અનેક સવાલો માઈ ભક્તોમાંથી ઉઠવા પામ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વારંવાર આ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટર કેમ આપવામાં આવે છે આના ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વધારાનો પ્રસાદનું બિલ પણ ન ચૂકવવું જોઈએ તેવી માંગ ભક્તોમાં ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, મેળાના 7 દિવસ દરમિયાન 19 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ વર્ષે અંદાજીત 32.54 લાખ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે 1 બોક્સમાં 100 ગ્રામ લેખે 7 દિવસમાં 2 લાખ કિલો મોહનથાળનું વેચાણ થયું છે. જેની સામે ફીક્કી પડેલી ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા હતા.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here