Wednesday, May 14, 2025
Homenationalભારત છોડો આંદોલન બાદ અંગ્રેજા હચમચી ઉઠ્યા હતા

ભારત છોડો આંદોલન બાદ અંગ્રેજા હચમચી ઉઠ્યા હતા

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

નવી દિલ્હી,તા. ૮
દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આઠમી ઓગષ્ટની તારીખ ખુબ મહત્વપૂર્ણ છે. મહાત્માં ગાંધીએ વર્ષ ૧૯૪૨માં આજના દિવસે જ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. ૭૭ વર્ષ પહેલા કરો અથવા તો મરોના નારાની સાથે મહાત્મા ગાંધીએ બ્રિટીશ શાસન સામે પોતાના ત્રીજા સૌથી મોટા આંદોલનને છેડી દેવાનો નિર્ણય કર્યો હતો. આઠમી ઓગષ્ટ ૧૯૪૨ના દિવસે સાંજે મુંબઇમાં કોંગ્રેસ કારોબારીની બેઠક થઇ હતી. બેઠકમાં ભારત છોડો આંદોલન પ્રસ્તાવ પાસ કરવામા આવ્યો હતો. અંગ્રેજાને ભારત છોડવા માટેની ફરજ પાડવામાં આ આંદોલનની મુખ્ય ભૂમિકા હતી. આજે ઇતિહાસની ઘટનાને ૭૭ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જા કે યાદો હજુ પણ તાજી રહેલી છે. આ જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અંગ્રજાની ગુલામીથી દેશને સ્વતંત્ર કરાવવા માટે કરો અથવા તો મરોનો નારો આપ્યો હતો. દર વર્ષે આ દિવસને ઓગષ્ટ ક્રાÂન્ત દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ઐતિહાસિક પ્રસંગે ઐતિહાસિક યાદ તાજી કરીને વહીવટીતંત્ર દ્વારા ફાઇલ કરવામાં આવેલા એક રિર્પોટરના પેજને શેયર કરીને લોકોને માહિતી આપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેયર કરવામાં આવેલા આ દસ્તાવેજ વાસ્તવમાં આ બાબતના પુરાવા છે કે ભારત છોડો આંદોલન મારફતે મહાત્માં ગાંધીએ કઇ રીતે અંગ્રેજાને હચમચાવી મુક્યા હતા. આંદોલનના કારણે દેશની સ્વતંત્રતા માટેની લડાઇ ચરમસીમા પર પહોંચી ગઇ હતી. આઠમી ઓગષ્ટના મહત્વપૂર્ણ દિવસની માહિતી મોદી દ્વારા આપવામાં આવી છે. ઘટનાની વિગત રજૂ કરીને આ દિવસે ક્યંમ કઇ ઘટના બની હતી અને કોની ધરપકડ કરવામાં આવી હતી તેની વિગત હવે જારી કરવામાં આવી છે. મુંબઇ સિટીમાં ગાંધી અને વ‹કગ કમિટીના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. અહીં લોકોના ટોળા પર ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ૧૫ સ્થળો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા અને ૪૪ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં હડતાળ, પોલીસ ગોળીબારમાં એકનુ મોત, થયુ હતુ. પુણેમાં વિદ્યાર્થીઓની ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એકનુ મોત થયુ હતુ. સુરત માટે સૈનિકો રવાના કરવામાં આવ્યા હતા. અંગ્રેજાને દેશમાંથી જતા રહેવાની ફરજ પાડવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચોથી જુલાઇ ૧૯૪૨ના દિવસે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. શરૂમાં આ પ્રસ્તાવને લઇને પાર્ટીમાં મતભેદો સર્જાયા હતા. પાર્ટી નેતા રાજગોપાલ ચારીએ પાર્ટી છોડી દીધી હતી. પરંતુ નહેરુ અને મૌલાનાએ બાપુને અંત સુધી ટેકો આપવાની જાહેરાત કરી હતી. મહાત્મા ગાંધી અને તેમના સમર્થકોએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેઓ દ્ધિતીય વિશ્વયુદ્ધના પ્રયાસોને એ વખત સુધી સમર્થન આપશે નહીં જ્યાં સુધી ભારતને સંપૂર્ણપણે સ્વતંત્રતા મળી જતી નથી. બાપુએ કરો અથવા તો મરોના નારાની સાથે તમામ દેશવાસીઓને શિસ્ત જાળવી રાખવા માટે અપીલ કરી હતી. આંદોલનની શરૂઆત થતાની સાથે જ કોંગ્રેસ કારોબારીના અનેક સભ્યોને પકડી લેવામા ંઆવ્યા હતા. અહિંસાના આ આંદોલનમાં અંગ્રેજી શાસનના નિર્મમ વલણના કારણે ૯૪૦થી વધારે લોકોના મોત થઇ ગયા હતા. ૧૬૩૦ ઘાયલ થયા હતા. ૬૦ હજાર કાર્યકરોએ ધરપકડ વ્હોરી હતી. અંગ્રેજી શાસનના દસ્તાવેજા મુજબ ઓગષ્ટ ૧૯૪૨થી ડિસેમ્બર ૧૯૪૨ વચ્ચે પોલીસ અને સેનાએ પ્રદર્શનકારી પર ૫૩૮ વખત ગોળીબાર કર્યો હતો. ભારત છોડો આંદોલનના કારણે અંગ્રેજા ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તેમની નીંવ હચમચી ઉઠી હતી. જા કે અંગ્રેજાએ ભારતીયોના આંદોલનને દબાવી દેવા માટેના તમામ પ્રયાસો જારી રહ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here