Monday, February 24, 2025
HomeGujaratAhmedabadમણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

મણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરો ૧૬.૬૦ લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. દાદીની તબિયત ખરાબ હોવાથી મકાન બંધ કરીને પરિવાર હોસ્પિટલમાં હતો તે સમયે તસ્કરોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે.મણિનગર વિસ્તારમાં આવેલ હરિહર સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય અંકિત ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. અંકિતભાઈ ઓઢવમાં આવેલી એક ખાનગી કંપનીમાં આ‌સિસટ્ન્ટમેનેજર-ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. અંકિતભાઈનાં દાદીને ફેફસાંની બીમારી થતાં ગાંધીનગરની એસએમવીએસ હોસ્પિટલમાં દાખલ કરવાં આવ્યાં હતાં. દાદીની તબિયત ખરાબ હોવાથી રૂપિયાની જરૂર પડશે તેમ વિચારીને અંકિતભાઈનાં દાદીના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાંથી પાંચ કિલો ચાંદીની લગડીઓ તથા સાત તોલા સોનાના દાગીના લાવીને બેડરૂમની તિજોરીમાં મૂક્યા હતા. બીજા દિવસે અંકિતભાઈ દાદીનાં કસરત કરવાનાં સાધન લઈ ઘરને લોક મારી નોકરીએ ગયા હતા અને સાંજે અંકિતભાઈ સીધા હોસ્પિટલ ગયા હતા.ત્યારબાદ ગઇ કાલે સવારના દસ વાગ્યાની આસપાસ અંકિતભાઈ નોકરી પર હાજર હતા ત્યારે તેમની પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે પાડોશમાં રહેતાં જ્યોતિબહેનનો ફોન આવ્યો હતો કે તમારા ઘરની પાછળની બારીની ગ્રીલ તૂટેલી છે. આથી અંકિતભાઈ નોકરી પરથી સીધા તેમના ઘરે આવી ગયા હતા, જ્યાં ઘરનો સરસામાન અસ્તવ્યસ્ત હતો અને ‌તિજોરી પણ ખુલ્લી હતી. અંકિતભાઈએ ‌તિજોરી ચેક કરતાં તેમાં રહેલા ૩૭. પ તોલા સોનું અને આઠ કિલો ચાંદીના દાગીના ગાયબ હતાં. ચોરીની જાણ થતાં આડોશપાડોશના લોકો અંકિતભાઈના ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મણિનગર પોલીસે તાત્કા‌લિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને બેડરૂમમાં પ્રવેશ કરી તિજોરીમાંથી કુલ રૂ.૧૧ લાખનું સોનું તેમજ ૩.ર૦ લાખ રૂપિયાની ચાંદી મળીને કુલ ૧૬.૬૦ લાખ રૂપિયાની ચોરી કરી છે.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here