Friday, June 26, 2026
HomeGujaratAhmedabadમણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

મણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરો ૧૬.૬૦ લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. દાદીની તબિયત ખરાબ હોવાથી મકાન બંધ કરીને પરિવાર હોસ્પિટલમાં હતો તે સમયે તસ્કરોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે.મણિનગર વિસ્તારમાં આવેલ હરિહર સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય અંકિત ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. અંકિતભાઈ ઓઢવમાં આવેલી એક ખાનગી કંપનીમાં આ‌સિસટ્ન્ટમેનેજર-ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. અંકિતભાઈનાં દાદીને ફેફસાંની બીમારી થતાં ગાંધીનગરની એસએમવીએસ હોસ્પિટલમાં દાખલ કરવાં આવ્યાં હતાં. દાદીની તબિયત ખરાબ હોવાથી રૂપિયાની જરૂર પડશે તેમ વિચારીને અંકિતભાઈનાં દાદીના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાંથી પાંચ કિલો ચાંદીની લગડીઓ તથા સાત તોલા સોનાના દાગીના લાવીને બેડરૂમની તિજોરીમાં મૂક્યા હતા. બીજા દિવસે અંકિતભાઈ દાદીનાં કસરત કરવાનાં સાધન લઈ ઘરને લોક મારી નોકરીએ ગયા હતા અને સાંજે અંકિતભાઈ સીધા હોસ્પિટલ ગયા હતા.ત્યારબાદ ગઇ કાલે સવારના દસ વાગ્યાની આસપાસ અંકિતભાઈ નોકરી પર હાજર હતા ત્યારે તેમની પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે પાડોશમાં રહેતાં જ્યોતિબહેનનો ફોન આવ્યો હતો કે તમારા ઘરની પાછળની બારીની ગ્રીલ તૂટેલી છે. આથી અંકિતભાઈ નોકરી પરથી સીધા તેમના ઘરે આવી ગયા હતા, જ્યાં ઘરનો સરસામાન અસ્તવ્યસ્ત હતો અને ‌તિજોરી પણ ખુલ્લી હતી. અંકિતભાઈએ ‌તિજોરી ચેક કરતાં તેમાં રહેલા ૩૭. પ તોલા સોનું અને આઠ કિલો ચાંદીના દાગીના ગાયબ હતાં. ચોરીની જાણ થતાં આડોશપાડોશના લોકો અંકિતભાઈના ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મણિનગર પોલીસે તાત્કા‌લિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને બેડરૂમમાં પ્રવેશ કરી તિજોરીમાંથી કુલ રૂ.૧૧ લાખનું સોનું તેમજ ૩.ર૦ લાખ રૂપિયાની ચાંદી મળીને કુલ ૧૬.૬૦ લાખ રૂપિયાની ચોરી કરી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here