Saturday, March 7, 2026
Homenationalમણીપુરની રાહત શિબિરોમાં હજારો માસુમ બાળકો અને મહિલાઓ પરેશાન, દવા-ખોરાકની અછત

મણીપુરની રાહત શિબિરોમાં હજારો માસુમ બાળકો અને મહિલાઓ પરેશાન, દવા-ખોરાકની અછત

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

10 હજાર માસૂમ બાળકો સહિત 50 હજારથી વધુ લોકો અપૂરતી સુવિધા સાથે રાહત શિબિરોમાં

મણીપુર હિંસા અંગે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. હવે વિપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ મણિપુર પ્રવાસથી પરત ફર્યું છે, ત્યારબાદ તમામ નેતાઓ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં સ્થિતિ કેટલી બગડી રહી છે તેનો ચિતાર આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર ઘણા મહત્વના મુદ્દા મુક્યા છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે અમારા ગઠબંધન ઇન્નાડિયા સાંસદોએ મણિપુરના લોકો સાથે વાત કરી અને હૃદય હચમચાવી નાખનાર વાતો સાંભળી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મણિપુરની મુલાકાતે ગયેલા તમામ વિપક્ષી સાંસદો બેઠેલા જોવા મળે છે. આ બેઠકમાં ખડગેએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં સાંસદોએ વીડિયો અને તસવીરો દ્વારા જણાવ્યું કે હાલમાં મણિપુરમાં કેવી સ્થિતિ છે. ખડગેએ પોતાના ટ્વીટમાં આ વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.10 હજાર માસૂમ બાળકો સહિત 50 હજારથી વધુ લોકો અપૂરતી સુવિધા સાથે રાહત શિબિરોમાં છે. ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓનો અભાવ છે, સાથે જ લોકોને દવાઓ અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરમાં આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ ગઈ છે, બાળકો શાળાએ જઈ શકતા નથી, ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું છે અને લોકો આર્થિક નુકસાન અને માનસિક તકલીફ બંનેનો સામનો કરી રહ્યા છે. બે સમુદાયો વચ્ચેનું વિભાજન વધુ ચિંતાજનક છે.મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ટ્વીટમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું, “ચૂંટણી રેલીઓ, સેલ્ફ-પીઆર, ટ્રેન ઉદ્ઘાટન અને ભાજપની સભાઓમાં હાજરી આપવાનો સમય હોવા છતાં, પીએમ મોદી પાસે મણિપુરના લોકોની વેદના અને પીડાને સંબોધવા અથવા સમુદાયના પ્રશ્નોના નિરાકરણ માટે ઓછો સમય છે.”મણિપુરની પરિસ્થિતિને સંભાળવામાં મોદી સરકાર દિશાહીન લાગે છે, જે સંસદમાં વ્યાપક નિવેદન ન આપવાથી સ્પષ્ટ થાય છે.”

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here