Sunday, February 23, 2025
HomeEntertainmentBollywoodમારાં બાળકોએ પણ ઓડિશનમાં પાસ કરવું પડશે: આમિર ખાન

મારાં બાળકોએ પણ ઓડિશનમાં પાસ કરવું પડશે: આમિર ખાન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુંબઇ:
બોલિવૂડ અભિનેતા આમિરખાનનું કહેવું છે કે પોતાનાં બાળકો જુનેદ, ઈરા અને આઝાદની પ્રતિભાનું આકલન કરતાં તે ક્યારેય સંતાન મોહમાં નહીં પડે. તેનું કહેવું છે કે તે પોતાનાં બાળકોને ક્યારેય નહીં જણાવે કે તેમણે કઇ કરિયર અપનાવવી જોઇએ. આમિરના મોટા પુત્ર જુનેદે રાજકુમાર હીરાનીની બે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ૨૫ વર્ષીય જુનેદને થિયેટર અને એક્ટિંગમાં રસ હતો, પરંતુ હાલમાં તેણે બોલિવૂડમાં બ્રેક આપવા માટે પોતાના પિતા સાથે વાત કરી નથી.

જુનેદને લોન્ચ કરવાની વાત પર આમિરે કહ્યું કે જો તેના મતલબનો કોઇ વિષય હશે અને તે ઓડિશન પાસ કરશે તો જુનેદને લોન્ચ કરવા અંગે વિચારી શકું છું. હજુ સુધી તેણે એવી કોઇ વાત કરી નથી. આમિરે એમ પણ જણાવ્યું કે તેની પુત્રી ઈરાએ પણ બોલિવૂડ પ્રવેશમાં લઇને તેની સાથે કોઇ વાત કરી નથી. તેને પૂછવામાં આવ્યું કે શું આગામી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં તેના પાત્રનો બાળપણનો રોલ આઝાદ કરશે? તો તેણે કહ્યું કે અરે! હજુ મેં તે અંગે કંઇ વિચાર્યું નથી.

સાચું કહું તો કાસ્ટિંગ ડિરેક્ટર એવી સલાહ આપે અને આઝાદ ઓડિશનમાં પાસ થાય તો આ બની શકે છે. મારાં બાળકોએ મારા હોમ પ્રોડક્શનની ફિલ્મમાં પણ ઓડિશન પાસ કરવું પડશે તો જ તેમને ફિલ્મોમાં કામ મળશે. આમિરના જણાવ્યા અનુસાર બે-ત્રણ વર્ષ પહેલાં તેની પત્ની કિરણે તેને કહ્યું હતું કે તે પોતાનાં બાળકોને પર્યાપ્ત સમય આપી રહ્યો નથી. ત્યારબાદથી આમિર સાંજે છ વાગ્યે ઘરે આવી જાય છે અને બે કલાક એટલે કે છથી આઠ આઝાદ સાથે સમય વીતાવે છે. આઠ વાગ્યા બાદ તે ફરી પોતાનું કામ શરૂ કરે છે. •

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here