Tuesday, May 13, 2025
HomeUncategorizedમાર્ગ દુર્ઘટનામાં ૧૨નો ભોગ લેનારના જામીનને ફગાવાયા

માર્ગ દુર્ઘટનામાં ૧૨નો ભોગ લેનારના જામીનને ફગાવાયા

Date:

spot_img

Related stories

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...
spot_img

૧૫મી જુલાઈએ ટ્રકે સામેથી આવતી રીક્ષા અને બાઈકને અડફેટે લીધી હતી : કોર્ટે અકસ્માતની ગંભીર નોંધ લીધી

અમદાવાદ, તા.૭
કચ્છના આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા મધ્યપ્રદેશના અને ભુજ રહેતા અનૂસૂચિત જાતિના પરિવારના સભ્યોની રીક્ષા અને બાઈકને એક ટ્રકે અડફેટે લેતા ૧૨ સભ્યોના મોત થયા હતા. ગયા મહિનાની તા.૧૫ જુલાઈએ થયેલા અકસ્માત માટે ડ્રાઈવર અને ટ્રકના માલિકે ભુજ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જા કે, ગુનાની ગંભીરતા ધ્યાનમાં લીધા બાદ ભુજ સેશન્સ કોર્ટે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની જામીન અરજી ફગાવી દઇ તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેને પગલે હવે આ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવી પડશે. માતાના મઢથી પરત ફરતા એમપીના પરિવારની રીક્ષા (જી.જે.૧૨ બીયુ ૦૫૭૧)ને સામેથી આવતા ટ્રક (જી.જે.૧૨ એ ડબ્લ્યુ ૮૮૨૯)ના ડ્રાઈવરે સામે અકસ્માત થવાની સંભાવના હોવાછતાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ગોઝારો અકસ્માત થયો હતો. આટલો ગંભીર અકસ્માત સર્જાય બાદ તે ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ૩૦૨ જેવી ગંભીર કલમ હેઠળ ટ્રકના ડ્રાઈવર રમેશ કુંભા સંજાટ અને ટ્રક માલિક જટાશંકર યાદવ વિરૂધ્ધ ભુજ કોર્ટમાં અરજી કરી હતી. સામત્રા અને માનકુવા નજીક ડાકડાઇ ગામના પાટીયા પાસે ટ્રક, પેસેન્જર છકડા અને મોટર સાઈકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતના બનાવમાં ટ્રકે સામેથી રીક્ષાને ટક્કર મારી પાછળથી આવતી બાઇકને પણ અડફેટે લેતાં રીક્ષાનો ખુડદો બોલી ગયો હતો અને મોટર સાઈકલ ઉછળીને રોડ પર ફંગોળાતાં બન્ને વાહનોમાં સવાર કુલ ૧૨ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય છ જણાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની ધરપકડ કરી હતી. દરમ્યાન આ બંને આરોપીઓએ ભુજ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here