Sunday, June 8, 2025
Homenationalયુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાકિસ્તાને કરેલો ગોળીબાર

યુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાકિસ્તાને કરેલો ગોળીબાર

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

શ્રીનગર,તા. ૨૭
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આજે સવારે એક જવાન શહીદ થયો હતો. સવારમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને કુપવાડાના માછિલ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ક્રોસ બોર્ડર ગોળીબારમાં ભારતીય સેનાના જવાન શહીદ થયો હતો. શહીદ થયેલા જવાનની ઓળખ ૫૭ આરએસના લાન્સ નાયક રાજેન્દ્ર સિંહ તરીકે થઇ છે. કુપવાડામાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખુબ તંગ બનેલા છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. બંને દેશો વચ્ચે વિસ્ફોટક Âસ્થતી વચ્ચે આ હુમલાના જવાબમાં ભારતીય હવાઇ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી Âસ્થતી તંગ બની ગઇ છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ વારંવાર સ્થતીનો લાભ ઉઠાવીને હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જા કે સુરક્ષા જવાનોએ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. જા કે ત્રાસવાદીઓ હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે વારંવાર ગોળીબાર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવે છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાના બદલે પાકિસ્તાની સેના ત્રાસવાદીઓને મદદ કરે છે.પાકિસ્તાને આજે ગોળીબાર કરતા તંગદીલી ફરી એકવાર વધી ગઇ છે. પાકિસ્તાન દ્વારા સરહદની અંદર આતંકવાદીઓને ઘુસડવાની સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે ગોળીબાર કરવામાં આવે છે. આ વખતે પણ સરહદ ઉપર ગોળીબાર કરવાનો હેતુ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાનો રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંક મચાવવાના ઇરાદા સાથે ત્રાસવાદીઓને ઘુસાડવામાં આવે છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ફરી એકવાર તંગ સ્થતિ થઈ ગઈ છે. અંકુશ રેખા અને સરહદી વિસ્તારમાં સુરક્ષા જવાનો વધુ સાવધાન બન્યા છે.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here